જમ્મુ કાશ્મીર: આતંકીઓએ CRPF કેમ્પ પર ગ્રેનેડ હુમલો કર્યો
જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ ફરી એકવાર વધી ચુકી છે. આતંકવાદીઓ ઘ્વારા ગ્રેનેડ લોન્ચર ઘ્વારા જોઈન્ટ આર્મી કેમ્પ અને સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ ફરી એકવાર વધી ચુકી છે. આતંકવાદીઓ ઘ્વારા ગ્રેનેડ લોન્ચર ઘ્વારા જોઈન્ટ આર્મી કેમ્પ અને સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો છે. પુલવામાં પાસે આવેલા સીઆરપીએફ કેમ્પ પર આતંકીઓ ઘ્વારા ગ્રેનેડ ફેંકવામાં આવ્યો છે. આ હુમલામાં કોઈને પણ ઇજા થયાના સમાચાર નથી. એએનઆઈ અનુસાર પુલવામાં સેના અને સીઆરપીએફ સંયુક્ત કેમ્પ પર આતંકીઓ ઘ્વારા ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. જવાનો ઘ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી જેથી આંતકીઓ ભાગી ગયા.
આ પહેલા આતંકીઓ રાજ્યના મુખ્ય રાજમાર્ગ પર સુરક્ષાકર્મીને ગોળી મારીને ભાગી ગયા હતા. જમ્મુ કાશ્મીર પોલીસ અનુસાર જેશ એ મોહમ્મદના ત્રણ આતંકવાદીઓએ બુધવારે જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરી અને રાજ્યના મુખ્ય માર્ગ પર સુરક્ષાકર્મીઓ પર ગોળી ચલાવી. ત્યારપછી તેઓ શહેરની પાસે આવેલા જંગલમાં ભાગી ગયા. અધિકારીઓ અનુસાર આતંકીઓએ રોકવામાં આવેલા ટ્રકથી સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો હતો.
3 terrorists fired from a parked truck & ran away. We have arrested 2 accomplices of the terrorists. Terrorists attacked an employee of forest deptt. in Jhajjar Kotli We have issued an advisory for people to stay indoors. We are conducting search Op: Dr SD S Jamwal, IGP Jammu pic.twitter.com/R24LS3DmTq
— ANI (@ANI) September 12, 2018
જમ્મુથી ટ્રકમાં સંતાઈને શ્રીનગર જઈ રહેલા આતંકીઓને જમ્મુ શ્રીનગર હાઇવે પર રોકવામાં આવ્યા. ચેકિંગના ડરથી આતંકીઓ ઘ્વારા સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કરવામાં આવી. ભાગતા સમયે આતંકીઓએ એક ફોરેસ્ટ ગાર્ડને સુરક્ષાકર્મી સમજીને ગોળી મારી દીધી, જેથી તે ગંભીર રૂપે ઘાયલ થયો છે. ત્યાં જ ભાગતા સમયે આતંકીઓ પોતનું બેગ છોડીને ભાગી ગયા હતા. તેમના બેગમાં એકે 47, 3 મેગ્જીન અને બીજો કેટલોક સમાન મળી આવ્યો છે.