જમ્મુ કાશ્મીરઃ 24 કલાકમાં ત્રીજી આતંકી ઘટના, શોપિયાંમાં આતંકીઓએ કાશ્મીરી પંડિતને મારી ગોળી

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ફરીથી તેજ ગતિએ વધવા લાગી છે.

નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ફરીથી તેજ ગતિએ વધવા લાગી છે. છેલ્લા 24 કલાકમાં આતંકવાદની ત્રીજી ઘટના સામે આવી છે. સોમવારે જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને પોતાના નિશાન બનાવ્યા તેને ગોળીઓથી વિંધી દીધા. જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિત પર હુમલો કરી દીધો. છેલ્લા 24 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓની આ ત્રીજી ઘટના છે. આ પહેલા પણ આતંદવાદીઓએ બિહારી મજૂરો અને સીઆરપીએફ જવાન પર હુમલો કરી દીધો.

terrorist

પોલિસે જણાવ્યુ કે પુલવામામાં બે અલગ-અલગ આતંકવાદી હુમલામાં 4 બિન સ્થાનિક મજૂર ઘાયલ થઈ ગયા. પુલવામા જિલ્લાના લિટર વિસ્તારમાં આતંકવાદીઓએ બે વ્યક્તિઓ પર ગોળીઓ ચલાવી અને બંને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. આ બંને પઠાણકોટ(પંજાબ)ના નિવાસી છે. તેમની ઓળખ સુરિંદર સિંહ અને ધીરજ દત્ત તરીકે થઈ છે. તેમને પુલવામાની જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. સોમવારે સવારે લઝુરા પુલવામામાં આતંકીઓએ વધુ એક હુમલો કર્યો જેમાં 2 બિહારી મજૂરો(પિતા-પુત્ર)ને ગોળીઓથી વિંધી દેવાયા. બંને ઘાયલ થઈ ગયા. તેમની ઓળખ 46 વર્ષીય જોખૂ ચૌધરી અને તેમનો 23 વર્ષીય પુત્ર પતિલેશ્વર ચૌધરી તરીકે થઈ છે.

પ્રારંભિક માહિતી મુજબ આતંકીઓએ શોપિયાંના સ્થાનિક નાગરિક પર હુમલો કર્યો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. વળી, જમ્મુ કાશ્મીર પોલિસે સેનાના વિસ્તારને સીલ કરીને સર્ચ ઑપરેશન શરુ કરી દીધુ છે. આતંકીની શોધ કરવામાં આવી રહી છે. આની પહેલા જ શ્રીનગરના મૈસૂમાના લાલ ચોક વિસ્તારમાં આતંકીઓએ સીઆરપીએફના બે જવાનો પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થઈ ગયો. જ્યારે બીજો જવાન હોસ્પિટલમાં ભરતી છે અને તેની હાલત ગંભીર છે. આતંકીઓએ સીઆરપીએફ જવાન પર એ વખતે હુમલો કર્યો જ્યારે એ મંદિરની સુરક્ષામાં તૈનાત હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X