ભાવિ PM તરીકે જયલલિથા NRIમાં સૌથી લોકપ્રિય
નવી દિલ્હી, 26 જૂન : લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને ભારતમાં વિવિધ પ્રકારના સર્વે ચાલી રહ્યા છે. જેમાં દેશના ભાવિ પ્રધાન વિશે લોકોમાં સૌથી લોકપ્રિય નેતા કોણ છે તે જાણવાનો પ્રયાસ મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો કે હવે વિદેશમાં વસતા ભારતીયો પણ ભારતના ભાવિ વડાપ્રધાન વિશે શું માને છે તે અંગેનો પણ એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેના પરિણામ અત્યંત આશ્ચર્યકારક કહી શકાય એમ છે. કારણ કે તેમાં સૌથી લોકપ્રિય વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી નહીં પણ તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિથાનું નામ ટોચ પર છે.
ગલ્ફ કોઓપરેશન કાઉન્સીલ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્વેક્ષણમાં વિદેશોમાં વસતા ભારતીયો(એનઆરઆઇ)માં દેશના આગામી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી નહીં પણ તામિલનાડુના મુખ્ય પ્રધાન જયલલિથા લોકપ્રિય છે. એનઆરઆઇ સમુદાયનો એક મોટો વર્ગ જયલલિતાને દેશના આગામી વડાપ્રધાન તરીકે જુએ છે.

જયલલિથા
100માંથી 86 સ્કોર

નરેન્દ્ર મોદી
100માંથી 81 સ્કોર

રાહુલ ગાંધી
100માંથી 53 સ્કોર

માયાવતી
માયાવતીને જ્ઞાતિવાદી ગણીને બાકાત રાખવામાં આવ્યા હતા.

કરૂણાનિધિ
ડીએમકે મુખિયા એમ કરૂણાનિધિનો તેમની ઉંમરના કારણે સમાવેશ કરવામાં આવ્યો ન હતો

મમતા બેનરજી
મમતા બેનર્જીના નેતૃત્વમાં નેશનલ આઉટલુકની ખામી હોવાથી તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો નહોતો.
આ સર્વેક્ષણમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, સિંગાપોર, મલેશિયા, શ્રીલંકા અને થાઇલેન્ડમાં વસતા 500 એનઆરઆઇને તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. આ સર્વેમાં 75 ટકા એનઆરઆઇએ કહ્યું હતું કે દેશના પીએમ પદ માટે જયલલિતા હાલના નેતાઓમાં સૌથી શ્રેષ્ઠ અને યોગ્ય છે. તેમજ હાલના વડાપ્રધાન મનમોહન સિંઘમાં વડાપ્રધાન માટેની જે પાત્રતા અને લાયકાત હોવી જોઇએ તેનો અભાવ છે.
સર્વેક્ષણમાં જયલલિતાએ 100માંથી 86, નરેન્દ્ર મોદીએ 81 અને રાહુલ ગાંધીએ 53 અંકો સ્કોર તરીકે મેળવ્યા હતા. જ્યારે ડીએમકે મુખિયા એમ કરૂણાનિધિનો તેમની ઉંમરના કારણે સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તેમજ માયાવતી જ્ઞાતિવાદી ગણીને બાકાત રાખવામાં આવ્યા હતા. મમતા બેનર્જીના નેતૃત્વમાં નેશનલ આઉટલુકની ખામી હોવાથી તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો નહોતો. તેથી માત્ર ત્રણ નેતાઓ પર જ સર્વે કરવામાં આવ્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
