શ્રીલંકા વિરુદ્ધ કડક પગલા ભરે ભારતઃ જયલલિતા

સંવાદદાતાઓ સાથે વાતચીતમાં જયલલિતાએ તેને આ ક્રુરતાને અમાનવીય કૃત્ય ગણાવતા કહ્યું છે કે, તે તો એક બાળક હતુ, જેને કોઇ ગુન્હો કર્યો નહતો. તેને સુનિયોજિત રીતે મારવામાં આવ્યો કારણ કે તે પ્રભાકરણનો પુત્ર હતો. આ એવી ઘણી હત્યાઓનું પ્રમાણ છે અને તેનાથી શ્રીલંકાની હાલની સરકારની માનસિકતા જાણવા મળે છે.
અન્નાદ્રમુક પ્રમુખે કહ્યું કે આવી હત્યાઓ હિટ્લરના શાસનકાળવાળા નાઝી યુગના જર્મનીની યાદ અપાવે છે, જ્યાં યહુદિયોએ માત્ર તેમની નસ્લ માટે મારી નાખવામાં આવતા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે,બાલચંદ્રનની હત્યા ગંભીર યુદ્ધ અપરાધ છે, જેને માફ કરી શકાય નહીં. કથિત માનવાધિકાર હનનને લઇને કોલંબો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરતા જયાએ કહ્યું કે ભારતે અમેરિકા અને અન્ય દેશો સાથે આ મુદ્દે વાત કરવી જોઇએ.












Click it and Unblock the Notifications
