For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકા વિરુદ્ધ કડક પગલા ભરે ભારતઃ જયલલિતા

By Super
|
Google Oneindia Gujarati News

j-jayalalithaa
ચેન્નાઇ, 20 ફેબ્રુઆરીઃ એલટીટીઇના દિવંગત પ્રમુખ વી. પ્રભાકરણના 12 વર્ષિય પુત્ર બાલચંદ્રનની કથિત નૃશંસ હત્યાના અમાનવીય કૃત્ય પર શ્રીલંકન સરકારને આડા હાથે લેતા તામિળનાડુના મુખ્યમંત્રી જયલલિતા આજે કહ્યું કે ભારતે કોલંબો વિરુદ્ધ કડક પગલા ભરવા જોઇએ અને માર્ચ મહિનામાં જિનેવામાં થનારી સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(યુએનએચઆરસી)ની બેઠકમાં કથિત માનવઅધિકાર હનન પર ખાસ કરીને શ્રીલંકા વિરુદ્ધ લાવવામાં આવી રહેલા પ્રસ્તાવનું તેણે સમર્થન કરવું જોઇએ.

સંવાદદાતાઓ સાથે વાતચીતમાં જયલલિતાએ તેને આ ક્રુરતાને અમાનવીય કૃત્ય ગણાવતા કહ્યું છે કે, તે તો એક બાળક હતુ, જેને કોઇ ગુન્હો કર્યો નહતો. તેને સુનિયોજિત રીતે મારવામાં આવ્યો કારણ કે તે પ્રભાકરણનો પુત્ર હતો. આ એવી ઘણી હત્યાઓનું પ્રમાણ છે અને તેનાથી શ્રીલંકાની હાલની સરકારની માનસિકતા જાણવા મળે છે.

અન્નાદ્રમુક પ્રમુખે કહ્યું કે આવી હત્યાઓ હિટ્લરના શાસનકાળવાળા નાઝી યુગના જર્મનીની યાદ અપાવે છે, જ્યાં યહુદિયોએ માત્ર તેમની નસ્લ માટે મારી નાખવામાં આવતા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે,બાલચંદ્રનની હત્યા ગંભીર યુદ્ધ અપરાધ છે, જેને માફ કરી શકાય નહીં. કથિત માનવાધિકાર હનનને લઇને કોલંબો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરતા જયાએ કહ્યું કે ભારતે અમેરિકા અને અન્ય દેશો સાથે આ મુદ્દે વાત કરવી જોઇએ.

English summary
Tamil Nadu Chief Minister J. Jayalalithaa Wednesday called for the trial of Sri Lankan "war criminals" following fresh evidence that the 12 year old son of slain Tamil Tigers supremo Velupillai Prabhakaran was killed in cold blood after being captured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X