કોંગ્રેસના નેતા જયંતી નટરાજનનું મંત્રીપદ પરથી રાજીનામું
નવી દિલ્હી, 21 ડિસેમ્બર: પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ચારમાં જોરદાર હાર મેળવ્યા બાદ કોંગ્રેસ સંગઠનમાં ઉથલ-પુથલ મચી ગઇ છે. પહેલી વિકેટ દિલ્હીની કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જેપી અગ્રવાલની પડી અને હવે શનિવારે વન અને પર્યાવરણમંત્રી જયંતી નટરાજને પદ પરથી રાજીનામું આપી દીધું. સમાચાર અનુસાર પાર્ટીના હજી ઘણાબધા નેતાઓ પોતાના મંત્રીપદ પરથી રાજીનામું આપશે.
કહેવામાં આવી રહ્યું છે કે જયંતી નટરાજનને લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીના કામમાં લગાવવામાં આવશે. કેન્દ્રમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી(સ્વતંત્ર હવાલો) નટરાજનના રાજીનામાને લઇને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સ્વીકાર કરી લીધું છે.
59 વર્ષીય નટરાજન રાજ્યસભાની સભ્ય છે અને રાજ્યસભામાં તેમનું ત્રીજું કાર્યકાળ છે. તેઓ તમિલનાડુના છે. અને બે વર્ષ પહેલા મંત્રિપરિષદમાં સામેલ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે તેમને પાર્ટીમાં જાહેરાત પત્રો અને અન્ય કાર્યો સોંપવામાં આવી શકે છે.