Jharkhand Election 2024 : ઝારખંડના લોકોને ઈન્ડિયા એલાયન્સે 7 ગેંરટી આપી, જાણો કયા ક્યા વાયદા કર્યા?
Jharkhand Assembly Election 2024 : ઝારખંડ ચૂંટણીમાં એક તરફ બીજેપી નેતાઓ મુસ્લિમ વિરોધી ઝેર ઓકી રહ્યાં છે તો બીજી તરફ ઈન્ડિયા એલાયન્સે રાજ્યના લોકોને 7 ગેરંટી આપી છે.
ઈન્ડિયા એલાયન્સે તેની 7 ગેરંટીથી લોકોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. આ યોજનાઓમાં યુવાનો અને મહિલા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

ઈન્ડિયા એલાયન્સે મંગળવારે ઝારખંડ ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જારી કરતા આ મોટી જાહેરાતો કરી. ચૂંટણી ઢંઢેરામાં ઈન્ડિયા એલાયન્સે કહ્યું કે આ ઢંઢેરામાં સાત ગેરંટી આપવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખગડે, જેએમએમના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન સહિત ઈન્ડિયા બ્લોકમાં સામેલ અન્ય પક્ષોના નેતાઓએ ગેંરટી જારી કરી.
સીએમ હેમંત સોરેને અહીં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ઈન્ડિયા એલાયન્સે વિપક્ષના કાવતરાનો જડબાતોડ જવાબ આપ્યો છે. ઝારખંડમાં સરકાર વિરુદ્ધ કાવતરાં છતાં ગઠબંધન સરકાર સ્થિર રહી આ તેનું સ્પષ્ટ ઉદાહરણ છે.
તેમણે ચૂંટણીની તારીખોની જાહેરાતને લઈને ECIના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે, વર્તમાન સરકારનો એક મહિનાનો કાર્યકાળ હજુ બાકી છે, આ સ્થિતિમાં એવી કઇ વિકટ સ્થિતિ હતી જેના કારણે વહેલી ચૂંટણી થઈ?
ઝારખંડના લોકોને ઈન્ડિયા એલાયન્સના 7 વાયદા
- 1932ના આધારે ખતિયાનની બાંયધરી
- પછાત વર્ગ કલ્યાણ મંત્રાલય બનાવવાની ગેરંટી
- 15 લાખ સુધીના પરિવારના વીમાની જાહેરાત
- મૈયા સન્માન યોજનાની જાહેરાત
- સરના ધર્મ સંહિતા લાગુ કરવાની જાહેરાત
- 10 લાખ નોકરીઓનું વચન
- મહિલાઓને 2500 રૂપિયાનું માનદ વેતન
- શું છે ઝારખંડ ગેરકાયદે માઇનિંગ કૌભાંડ કેસ?












Click it and Unblock the Notifications
