Jharkhand Election 2024 : ઝારખંડમાં બીજેપીનો એકમાત્ર મુદ્દો ધ્રુવીકરણ અને સાંપ્રદાયિક વાયરલ ફેલાવવાનો-કોંગ્રેસ
Jharkhand Assembly Election 2024 : લોકોને ધાર્મિક મુદ્દાઓ પર ભડકાવીને મતોનું ધ્રુવીકરણ કરતી બીજેપી પર ઝારખંડ ચૂંટણીને લઈને કોગ્રેસે મોટા આરોપ લગાવ્યા છે.
બીજેપીએ ઘોષણાપત્ર જારી કર્યા બાદ કોંગ્રેસ હમલાવર જોવા મળી રહી છે. ઘણા વિવાદાસ્પદ વાયદાઓ પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક X પોસ્ટમાં જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની ભાષાથી સ્પષ્ટ છે કે બીજેપી ચૂંટણી દરમિયાન ધર્મના નામે ધર્માંધતા, પૂર્વગ્રહ અને નફરત ફેલાવવા પર જ ભરોસો કરશે.
તેમણે કહ્યું કે, ભાજપ જાતિ ગણતરીના મુદ્દાઓ અને રાજ્યના વિકાસને સુનિશ્ચિત કરવાની કેન્દ્ર સરકારની જવાબદારીઓ પર મૌન છે.
તેમણે આગળ કહ્યું કે, ઝારખંડ માટે આજે જાહેર કરાયેલા મેનિફેસ્ટોથી તે સ્પષ્ટ છે કે ભાજપ પાસે માત્ર એક જ ચૂંટણીનો મુદ્દો છે ધ્રુવીકરણ અને સાંપ્રદાયિક વાયરસનો ફેલાવવાનો.
તેમણે આગળ કહ્યું કે, મેનિફેસ્ટો જારી કરનારા કેન્દ્રીય ગૃહમંત્રી અને તેમના પ્રચાર પ્રભારી આસામના મુખ્યમંત્રીની ભાષાથી તે સ્પષ્ટ છે કે રાજ્યમાં જેએમએમ-કોંગ્રેસ સરકારની ભારે લોકપ્રિય અને પ્રભાવશાળી યોજનાઓનો ભાજપ પાસે કોઈ જવાબ નથી.
અન્ય એક પોસ્ટમાં જયરામ રમેશે કહ્યું કે, જનતા પાસેથી મત માગતા પહેલા ઝારખંડને કોલસાની બાકી રહેલી રોયલ્ટી તરીકે 1.36 લાખ કરોડ રૂપિયા રિલિઝ કરવામાં વિલંબ માટે ભાજપે હિસાબ આપવો જોઈએ. ગૈર જૈવિક પીએમની સરકારે ઝારખંડ સરકારને કોલ રોયલ્ટીના કારણે 1.36 લાખ કરોડ ચૂકવવાનો શા માટે ઇનકાર કર્યો?
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
