પક્ષમાં આવતા રુઝાનો વચ્ચે ભાજપે આપ્યા આજસૂ સાથે ફરીથી દોસ્તીના સંકેત
સૂત્રોના હવાલાથી સમાચાર મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પોતાની જૂની સહયોગી આજસૂ સાથે વાતચીત કરવાનુ શરૂ કરી દીધુ છે.
ઝારખંડમાં મતોની ગણતરીથી જે રુઝાન મળી રહ્યા છે તેમાં કોઈ પણ પક્ષ કે ગઠબંનને સ્પષ્ટ બહુમતી મળવાના સંકેત નથી દેખાઈ રહ્યા. 2014માં પણ ત્યાં ભાજપને પૂર્ણ બહુમત નહોતો મળ્યો. એવામાં સૂત્રોના હવાલાથી સમાચાર મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પોતાની જૂની સહયોગી આજસૂ સાથે વાતચીત કરવાનુ શરૂ કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે આજસૂ તરફથી પહેલેથી જ એ સંકેત મળી ચૂક્યા છે કે પરિણામો બાદ આ એકવાર ફરીથી ભાજપ સાથે જઈ શકે છે.
ભાજપના આંતરિક સૂત્રો મુજબ પાર્ટીને આશા છે કે અંતિમ પરિણામો આવવા સુધી 81 સીટોવાળી ઝારંખંડ વિધાનસભામાં તે પોતાના દમ પર 33માંથી 35 સટો મેળવ લેશે. બાકીન જુગાડ તે આજસૂના સમર્થનથી કરી શકે છે. કહેવાઈ રહ્યુ છે કે પાર્ટીના નેતાઓએ ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયનના નેતા સુદેશ મહતોનો સંપર્ક સાધવાનો શરૂ કરી દીધો છે.
ભાજપ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આજસૂ અને જેવીએમના નેતૃત્વને એ જણાવવામાં આવ્યુ છે કે આ લોકો પહેલા ભાજપના સાથી રહી ચૂક્યા છે અને રાજ્યમાં પેદા થઈ રહેલી સ્થિતિઓ બાદ તેમનુ એકજૂટ રહેવુ રાજ્યના હિતમાં પણ છે. સૂત્રોએ એ પણ સ્પષ્ટ કર્યુ કે આજસૂ ફરીથી ભાજપ સાથે જવાના વિરોધમાં નથી. તમને જણાવી દઈએ કે આ રણનીતિ હેઠળ ભાજપે એજેએસયુ ચીફ સુદેશ મહતોના વિરોધમાં સિલ્લીમાં પોતાના ઉમેદવાર પણ નહોતા ઉતાર્યા. તમને જણાવી દઈએ કે 2014માં ભાજપે અહીં 37સીટો મળી હતી અને તેણે આજસૂના 5 ધારાસભ્યોના સહયોગથી આખા 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. પરંતુ ચૂંટણીમાં બંને પાર્ટીઓ અલગ અલગ લડી હતી.
આ પણ વાંચોઃ ઝારખંડઃ પરિણામ આવતા પહેલા જ રાંચીમાં લાગ્યા હેમંત સોરેન સરકારના પોસ્ટર