સરયુ રાયે આ બે પૂર્વ CMને જેલ મોકલવામાં નિભાવી હતી મહત્વની ભૂમિકા, જાણો રસપ્રદ વાતો
સરયુ રાયે બે પૂર્વ મુખ્યમંત્રીઓને જેલ ભેગા કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. જાણો રસપ્રદ વાતો.
જમશેદપુર (પૂર્વ) વિધાનસભા સીટથ ઝારખંડના મુખ્યમંત્રી રઘુવરદાસને લગભગ 10 હજાર મતોથી પાછળ છોડ્યા બાદ ભાજપના બાગી નેતા સરયુ રાયે મીડિયાને સાફ-સાફ કહ્યુ છે કે હવે રાજ્યમાં રઘુવર દાસ મુખ્યમંત્રી નહિ બને અને ઝામુમો-કોંગ્રેસ-રાજદ ગઠબંધનની સરકાર બનવાની સંભાવના છે જેની સ્થિરતા માટે જરૂર હોવા પર તે પોતે તેનુ સમર્થન કરી શકે છે.

સરયુ રાયે બગાડ્યો રઘુવર દાસનો ખેલ
ઉલ્લેખનીય છે કે પાંચ તબક્કામાં પૂર્ણ થયેલ ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મત ગણતરી ચાલુ છે. અત્યાર સુધી રુઝાનોમાં કોંગ્રેસ, જેએમએમ અને આરજેડીનુ ગઠબંધન બહુમતનો આંકડો સ્પર્શતો દેખાઈ રહ્યો છે. બહુમતથી દૂર ભાજપ બેશક ભાજપ રાજ્યની સૌથી મોટી પાર્ટી બની છે પરંતુ બહુમતથી ઘણી દૂર છે. વળી જેએમએમે આ ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. કોંગ્રેસ અને ઝામુમોના પક્ષમાં ઉજવણીનો માહોલ છે. વળી, બીજી તરફ ભાજપમાં નિરાશાની લહેર છે. ભાજપ માટે તો સૌથી મોટુ સંકટ તેમના સીએમની સીટ ગઈ છે જ્યાં રઘુવર દાસનો પેચ ફસાઈ ગયો છે.

સરયુ રાયે ભાજપ સામે લીધો પોતાનો બદલો
તમને જણાવી દઈએ કે ભાજપની લિસ્ટમાં જગ્યા ન મળવાના કારણે ગુસ્સે થયેલા સરયુ રાયે ભાજપનુ પલ્લુ છોડ્યુ હતુ અને વિરોધ દર્શાવવા માટે અપક્ષ ઉમેદવાર તરીકે પ્રતીકાત્મક રીતે જમશેદપુર પૂર્વ સીટ પસંદ કરી હતી અને આજે તેમનો બદલો યોગ્ય સાબિત થતો દેખાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે સરયુ રાયની ઈમેજ એક તેજ-તર્રાર અને સ્પષ્ટ બોલનાર નેતાની રહી છે. તે આરએસએસના જૂના કર્મઠ નેતા રહ્યા છે. તે વર્ષ 1962થી જનસંઘી રહ્યા છે.

સરયુ રાયે લાલુ અને મધુકોડાને જેલ મોકલવામાં નિભાવી હતી મહત્વની ભૂમિકા
વર્ષ 1977થી તેમણે રાજકારણની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમની લાંબી રાજકીય કરિયર રહી છે. તે એમએલસી, ધારાસભ્ય અને પછી મંત્રી બન્યા. તે રઘુવર સરકારમાં ખાદ્ય તેમજ ગ્રાહક મંત્રી રહ્યા. બિહારમા લાલુ રાજ દરમિયાન ચારા કૌભાંડ સામે અવાજ ઉઠાવવા અને તેને પ્રકાશમાં લાવવામાં સરયુ રાયની મોટી ભૂમિકા હતા. જ્યારે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા સામે ભ્રષ્ટાચારના મામલા ઉઠાવવામાં સરયુ રાયનો મોટો હાથ હતો. એટલા માટે કહેવાય છે કે સરયુ જેની પાછળ પડી જાય તો તે ડૂબી જ જાય છે અને આ વાત એક હદ સુધી સાચી પણ સાબિત થથી દેખાઈ રહી છે કારણકે આજે તેમણે રઘુવર દાસનો ખેલ ફસાવી દીધો છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
