Jharkhand : ચંપાઈ સોરેનને રાજ્યપાલે સમય ન આપ્યો, તમામ ધારાસભ્યો હૈદરાબાદ રવાના
ઝારખંડમાં હેમંત સોરેનના રાજીનામાં બાદ મોટી રાજકિય ઉથલપાથલ જોવા મળી રહી છે. હેમંત સોરેનના રાજીનામા બાદ ચંપઈ સોરેનને રાજ્યપાલે સમય આપવા ઈન્કાર કરી દીધો છે.
હેમંત સોરેનના રાજીનામા બાદ ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેનને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્યપાલે હજુ સુધી ચંપાઈ સોરેનને શપથ લેવાનો સમય આપ્યો નથી.

આવી સ્થિતિમાં ડરને કારણે ઝારખંડમાં સત્તાધારી ગઠબંધન પક્ષોના ધારાસભ્યોની પરેડ કરાવી રહી છે અને ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.
રાજકીય ઉથલપાથલ વચ્ચે ઝારખંડમાં જેએમએમની આગેવાની હેઠળના શાસક ગઠબંધનના ધારાસભ્યોને લઈને રાંચીના સર્કિટ હાઉસથી બસ રવાના થઈ છે, જે એરપોર્ટ પહોંચશે.
સૂત્રો અનુસાર, રાંચી એરપોર્ટ પર ધારાસભ્યોની રાહ જોઈને બે ચાર્ટર્ડ પ્લેન ઉભા છે. જે જેએમએમ અને કોંગ્રેસના ધારાસભ્યો સાથે હૈદરાબાદ જશે. આ ઉપરાંત હૈદરાબાદ એરપોર્ટ પર બે બસો પણ તૈયાર છે, જે ધારાસભ્યોને સીધી હોટલ સુધી લઈ જશે.
આ દરમિયાન ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ ઠાકુરે કહ્યું કે, અમે એરપોર્ટ જઈ રહ્યા છીએ. બીજેપી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તમે જાણો છો કે તેઓ કેવા લોકો છે, તેઓ ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે. કુલ 43 ધારાસભ્યો વિદાય લઈ રહ્યા છે.
વિધાનસભ્ય પક્ષના નેતા ચંપાઈ સોરેન અને ઝારખંડમાં જેએમએમની આગેવાની હેઠળના શાસક ગઠબંધનના ધારાસભ્યો રાંચી એરપોર્ટ પર પહોંચ્યા છે. મીડિયા સાથે વાત કરતા જેએમએમ વિધાયક દળના નેતા ચંપાઈ સોરેને કહ્યું કે, અમે રાજ્યપાલ પાસે માંગ કરી છે કે નવી સરકારની રચનાની પ્રક્રિયા જલ્દીથી શરૂ થવી જોઈએ.
અહીં સરકારનો દાવો રજૂ કર્યા બાદ પણ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ શપથ ગ્રહણમાં વિલંબને લઈને રાજ્યપાલની કાર્યશૈલી પર સવાલ ઉઠાવી રહ્યા છે. જેએમએમના સાંસદ મહુઆ માંઝીએ કહ્યું કે, 22 કલાકથી વધુ સમય થઈ ગયો છે. તમે બિહારમાં જોયું કે શપથ ગ્રહણ સમારોહ 5 કલાકમાં જ થઈ ગયો, પરંતુ હવે તેમના ઈરાદા પર શંકા થઈ રહી છે. મને લાગે છે કે બાબા સાહેબના બંધારણની રક્ષા કરતા આવતીકાલે શપથ થઈ જવા જોઈએ.












Click it and Unblock the Notifications
