Jioએ આ શહેરોમાં લોન્ચ કરી 5જી સર્વિસ, જાણો ઉપયોગ કરવા શું કરવુ પડશે
Jio એ ધનતેરસના દિવસે ભારતના વધુ બે શહેરોમાં તેની 5G સેવા શરૂ કરી છે. આજે જિયોના ચેરમેન આકાશ અંબાણીએ રાજસ્થાનના રાજસમંદમાં શ્રીનાથજી મંદિરથી તેને લોન્ચ કર્યું હતું. જે બે નવા શહેરોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે તેમાં રાજસ્
Jio એ ધનતેરસના દિવસે ભારતના વધુ બે શહેરોમાં તેની 5G સેવા શરૂ કરી છે. આજે જિયોના ચેરમેન આકાશ અંબાણીએ રાજસ્થાનના રાજસમંદમાં શ્રીનાથજી મંદિરથી તેને લોન્ચ કર્યું હતું. જે બે નવા શહેરોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે તેમાં રાજસ્થાનના રાજસમંદ અને ચેન્નાઈનો સમાવેશ થાય છે. આ સાથે હવે દેશમાં 6 શહેર એવા બની ગયા છે જ્યાં Jioની 5G સર્વિસ શરૂ થઈ છે. આજે બે નવા શહેરોમાં 5જી શરૂ થઇ તે પહેલા જ્યાં Jio True 5G આધારિત Wi-Fi સેવા ઉપલબ્ધ હતી તેમાં દિલ્હી, મુંબઈ અને કોલકાતા અને વારાણસીનો સમાવેશ થાય છે. હવે તેમાં રાજસમંદ અને ચેન્નાઈનું નામ પણ જોડાઈ ગયું છે. આકાશ અંબાણીએ શનિવારે આ બંને શહેરોમાં Jio True 5G અને Jio True 5G સંચાલિત સેવાઓ શરૂ કરી હતી.

શ્રીનાથ મંદીર સાથે ખાસ કનેક્શન
રાજસમંદના શ્રીનાથ મંદિરમાં Jio 5G લોન્ચ કરવા પાછળ એક ખાસ કારણ છે. હાલમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી શ્રીનાથ મંદિરમાં ગયા હતા, જે દરમિયાન તેમણે વચન આપ્યું હતું કે તેઓ રાજસ્થાનમાં 5જી સેવા શરૂ કરશે. આટલું જ નહીં 2015માં 4G સર્વિસ શરૂ કરતા પહેલા પણ મુકેશ અંબાણી શ્રીનાથ મંદિરના દર્શન કરવા આવ્યા હતા.

5G સેવા કેટલી અલગ
ભારતમાં 1 ઓક્ટોબર 2022 ના રોજ 5G સેવા શરૂ કરવામાં આવી હતી. ભારત સરકારનું કહેવું છે કે વર્ષ 2023 સુધીમાં આ સેવા દેશના 200 શહેરોમાં પહોંચી જશે. અત્યારે વાત કરીએ તો દેશમાં માત્ર બે મોટા પ્લેયર્સ Jio અને Airtel જ 5G સર્વિસ આપી રહ્યા છે. Jioએ અત્યાર સુધીમાં 4 શહેરો દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં તેની સેવા શરૂ કરી છે, જેમાં આજે વધુ બે શહેરો રાજસમંદ અને ચેન્નાઈનો ઉમેરો થયો છે.
5G સેવાને નવી સંચાર ક્રાંતિ તરીકે જોવામાં આવી રહી છે. 5G નેટવર્ક પર વપરાશકર્તાઓ 1Gbps સ્પીડ મેળવી શકે છે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે આ સેવા ભવિષ્યમાં આવા અનુભવો આપી શકે છે, જેના વિશે અમને હજી સુધી ખબર નથી.

કેવી રીતે મળશે 5જી સર્વિસ
Jioની 5G સેવા અત્યાર સુધીમાં 6 શહેરોમાં શરૂ કરવામાં આવી છે, પરંતુ આ સેવાનો ઉપયોગ આખા શહેરમાં થઈ શકશે નહીં. તેનું તબક્કાવાર વિસ્તરણ કરવામાં આવશે. આ સેવાનો ઉપયોગ કરવા માટે, શહેરમાં સ્પોટ બનાવવામાં આવ્યા છે જ્યાં તમે 5G નો ઉપયોગ કરી શકો છો. જો તમારો સ્માર્ટફોન 5G હશે તો જ તમે આ સેવાનો ઉપયોગ કરી શકશો.

આ રીતે કરો એક્ટીવેટ
અત્યારે 5G સેવાનો ઉપયોગ કરવા માટે કોઈ રિચાર્જની જરૂર નથી કારણ કે Jioએ આ સેવા અત્યારે માટે ફ્રી રાખી છે. આ માટે કંપનીએ કોઈ રિચાર્જ પ્લાન શરૂ કર્યો નથી. આ સેવા હાલમાં વેલકમ ઓફર હેઠળ આપવામાં આવી રહી છે. આ માટે યુઝર્સ MyJio એપ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે, પરંતુ આ એક ઈન્વાઈટ આધારિત સર્વિસ છે અને માત્ર પસંદગીના ગ્રાહકોને જ આપવામાં આવી રહી છે.

શું સીમ બદલવુ પડશે?
એક પ્રશ્ન યુઝરના મનમાં છે કે શું આ સેવાનો લાભ લેવા માટે તેના સિમને અપગ્રેડ કરવાની જરૂર છે. તો જવાબ છે ના. MyJio એપ પર કહેવામાં આવ્યું છે કે Jio એ સાચું 5G રેડી નેટવર્ક છે. Jio ગ્રાહકોને 5G સેવા મેળવવા માટે તેમના સિમને અપગ્રેડ કરવાની જરૂર નથી.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
