જેએનયુ હિંસા: પ્રોફેસરોની યાચિકા પર દિલ્હી હાઇકોર્ટે એપલ-વોટ્સએપ અને ગૂગલને ફટકારી નોટીસ
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) ના ત્રણ પ્રોફેસરોએ કેમ્પસ હિંસાને લઈને દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા હતા.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) ના ત્રણ પ્રોફેસરોએ કેમ્પસ હિંસાને લઈને દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા હતા. દિલ્હી હાઈકોર્ટમાં આ ત્રણેય પ્રોફેસરોએ કરેલી અરજીમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસા કેસમાં કોર્ટને સીસીટીવી ફૂટેજ અને પુરાવા સાચવવાનો આદેશ આપવા જણાવ્યું હતું. આ ત્રણેય પ્રોફેસરોની અરજી પર કોર્ટે એપલ, ગુગલ અને વોટ્સએપને નોટિસ આપી છે અને તેનો જવાબ માંગ્યો છે.
5 જાન્યુઆરીએ થઇ હતી હિંસા
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પર રવિવારની સાંજના સમયે માસ્કવાળા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘાયલ થયા હતા. આ હુમલા દરમિયાન દિલ્હી પોલીસ અને યુનિવર્સિટી વહીવટીતંત્રની ભૂમિકા પર વિદ્યાર્થી સંઘ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ઘણા અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ કહ્યું છે કે હિંસા દરમિયાન પુરાવાઓ દૂર કરી શકાય છે.
વીસીની ભુમિકા પર ઉઠ્યા સવાલ
જેએનયુ શિક્ષકો કહે છે કે 5 જાન્યુઆરીની સાંજે જેએનયુ હિંસામાં વાઇસ ચાન્સેલરની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ. જેએનયુ ટીચર્સ એસોસિએશન દ્વારા ગુરુવારે મંત્રાલયની બહાર યોજાયેલા વિદ્યાર્થીઓના પ્રદર્શનને સમર્થન આપ્યું હતું. શિક્ષકો કહે છે કે કુલપતિએ સમયસર થયેલી હિંસા અંગે પોલીસને જાણ કરી ન હતી, ન તો પોલીસને માહિતી મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
|
પોલીસે શંકાસ્પદોની આપી નોટીસ
બીજી તરફ, દિલ્હી પોલીસે કહ્યું છે કે, જેમને દિલ્હી પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી છે, તેમની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં પૂછપરછ કરવામાં આવશે. આજથી નવ લોકોને તપાસમાં જોડાવા જણાવાયું છે. પોલીસે વાયરલ વીડિયો અને ફોટાના આધારે નવ વિદ્યાર્થીની ઓળખ કરી હોવાનો દાવો કર્યો હતો. તેમજ વધુ 7 વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ પૂછપરછ માટે હાજર નહીં હોય તેમને નોટિસ ફટકારીને ફરીથી સમન કરવામાં આવશે.