For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિજાબ બેન વિવાદની સુનવણી કરતા હેમંત ગુપ્તાએ આપ્યુ નિવેદન, કહ્યું- જજનુ કામ લોકોને ખુશ કરવાનુ નથી

કર્ણાટકમાં હિજાબનો મુદ્દે બહુ વિ્વાદ ચાલી રહ્યો છે. આ વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. તાજેતરમાં કર્ણાટક હિજાબ બેન કેસ પર સુનાવણી અને નિર્ણય આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના બંને જજોના અલગ-અલગ અભિપ્રાયને કારણ

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં હિજાબનો મુદ્દે બહુ વિ્વાદ ચાલી રહ્યો છે. આ વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. તાજેતરમાં કર્ણાટક હિજાબ બેન કેસ પર સુનાવણી અને નિર્ણય આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના બંને જજોના અલગ-અલગ અભિપ્રાયને કારણે હિજાબ પ્રતિબંધનો મામલો મોટી બેંચને મોકલવામાં આવ્યો છે. હેમંત ગુપ્તાએ શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો હતો. ઉલ્લેખનિય છેકે જસ્ટિસ હેમંત ગુપ્તા સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશોમાં સામેલ હતા જેમણે તાજેતરમાં કર્ણાટક હિજાબ બેન કેસ પર સુનાવણી કરી અને ચુકાદો આપ્યો હતો.

જસ્ટિસ હેમંત ગુપ્તાએ સુપ્રીમ કોર્ટને અલવિદા કહી કહ્યું કે ન્યાયાધીશોની ભૂમિકા લોકોને ખુશ કરવાની નથી પરંતુ કાયદા અનુસાર કેસનો નિર્ણય લેવાની છે. જસ્ટિસ હેમંત ગુપ્તા 16 ઓક્ટોબરે નિવૃત્ત થવાના છે. શુક્રવારે 14 ઓક્ટોબરે જસ્ટિસ હેમંત ગુપ્તાના કાર્યકાળનો છેલ્લો દિવસ હતો. તેમના છેલ્લા કામકાજના દિવસે જસ્ટિસ હેમંત ગુપ્તાએ કહ્યું કે જજ લોકોને ખુશ કરી શકતા નથી કારણ કે તે તેમને સોંપવામાં આવેલી જવાબદારી નથી. અમારું કામ કાયદા હેઠળ નિર્ણય લેવાનું છે.

જજનુ કાકમ લોકોને ખુશ કરવાનુ નથી...

જજનુ કાકમ લોકોને ખુશ કરવાનુ નથી...

જસ્ટિસ હેમંત ગુપ્તા સુપ્રીમ કોર્ટમાં લગભગ ચાર વર્ષના કાર્યકાળ બાદ 16 ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમનું વિદાય ભાષણ આપતા, હેમંત ગુપ્તાએ કહ્યું, "એક ન્યાયાધીશ લોકોને ખુશ કરી શકતો નથી... કારણ કે તે તેમને સોંપાયેલ કામ નથી. લોકોને ખુશ કરવાની જવાબદારી અમારી નથી. આ ભૂમિકા જાહેર જીવનમાં અન્ય લોકોને સોંપવામાં આવે છે.

અમે કોર્ટમાં સખ્ત હોઇએ છીયે...

અમે કોર્ટમાં સખ્ત હોઇએ છીયે...

જસ્ટિસ હેમંત ગુપ્તાએ કહ્યું, "લોકોને ખુશ કે દુ:ખી કરવાના ઈરાદાથી કોઈ જજની ભૂમિકા નિભાવી શકે નહીં. હું કોર્ટમાં કડક હતો, પરંતુ મેં મારી સમજણ મુજબ જે પણ નિર્ણય લીધો તે પાસ કરવામાં આવ્યો છે.

જસ્ટિસ હેમંત ગુપ્તાએ કહ્યું- મને કોઇ પસ્તાવો નથી

જસ્ટિસ હેમંત ગુપ્તાએ કહ્યું- મને કોઇ પસ્તાવો નથી

જસ્ટિસ હેમંત ગુપ્તાએ કહ્યું કે તેમને તેમના કોઈપણ નિર્ણય માટે કોઈ અફસોસ કે પસ્તાવો નથી. પોતે કરેલા તમામ કામથી તે સંતુષ્ટ છે. તેણે કહ્યું કે તેણે સંસ્થાને પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. જસ્ટિસ હેમંત ગુપ્તાએ કહ્યું, મને કોઈ પસ્તાવો નથી. મેં મારી ફરજો અત્યંત નમ્રતા અને પ્રામાણિકતાથી નિભાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે, જોકે ક્યારેક હું મારો ગુસ્સા પરનો કાબુ ગુમાવી બેઠો છું. કોઈ સંપૂર્ણ નથી. હું સંપૂર્ણ હોવાનો દાવો કરતો નથી. મારાથી જે પણ ભૂલ થઈ કે મારામાં જે કંઈ ખામીઓ હતી તે બધું અજાણતાં જ થયું.

કોણ છે જસ્ટિસ હેમંત ગુપ્તા?

કોણ છે જસ્ટિસ હેમંત ગુપ્તા?

ન્યાયાધીશ હેમંત ગુપ્તાએ કહ્યું, "મને જે પણ ભૂમિકા આપવામાં આવી છે, મેં તે કોઈપણ ડર કે પક્ષપાત વિના કરી છે. હું ડર્યા વગર તરફેણ વિના મારી ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સંતુષ્ટ છું." જસ્ટિસ હેમંત ગુપ્તાને નવેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી. અગાઉ હેમંત ગુપ્તા મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. તેઓ 2002માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા હતા.

20 વર્ષની મહેનતનો અર્થ મહત્વનો

20 વર્ષની મહેનતનો અર્થ મહત્વનો

જસ્ટિસ ગુપ્તા વિશે વાત કરતાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતે કહ્યું કે તેમને યાદ છે કે તેઓ લગભગ 12 વર્ષ પહેલાં વકીલ તરીકે કોર્ટમાં કેવી રીતે હાજર થયા હતા અને તેમણે અને જસ્ટિસ ગુપ્તાએ કરેલા કામથી આશ્ચર્ય થયું હતું. ભારતના મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતે કહ્યું, "તેમણે મહાન કાર્યો કર્યા છે. તેઓ બે અઠવાડિયામાં કોઈપણ નિર્ણય તૈયાર કરે છે. તે એવી વ્યક્તિ છે જે તરત જ ચુકાદો લખવા માટે સમય મળે છે. વીસ વર્ષની મહેનતનો અર્થ ઘણો થાય છે. તેઓ તેમના યોગદાન માટે હંમેશા અમારી સાથે રહેશે પરંતુ તેમને હવે તેમના પરિવાર સાથે થોડો સમય વિતાવવાનો મોકો મળશે અને તેમની પ્રિય રમત ગોલ્ફ છે.

English summary
Judge's job is not to please people: Justice Hemant Gupta
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X