જસ્ટિસ નાણાવતીનું નિધન, ગોધરા કાંડ અને શિખ રમખાણોની તપાસમાં હતા સામેલ
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ (સેના નિવૃત્ત) જીટી નાણાવટીનું શનિવારે અમદાવાદમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. જીટી નાણાવટીએ 2002ના ગુજરાત રમખાણો અને 1984ના શીખ વિરોધી રમખાણોની તપાસ કરતા કમિશનનું નેતૃત્વ ક
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ (સેના નિવૃત્ત) જીટી નાણાવટીનું શનિવારે અમદાવાદમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. જીટી નાણાવટીએ 2002ના ગુજરાત રમખાણો અને 1984ના શીખ વિરોધી રમખાણોની તપાસ કરતા કમિશનનું નેતૃત્વ કર્યું હતું. તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે શનિવારે બપોરે 1:15 વાગ્યે ગુજરાતમાં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર જસ્ટિસ નાણાવટીના અંતિમ સંસ્કાર શનિવારે સાંજે લગભગ 5:15 વાગ્યે થલતેજ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા. ગોધરા ટ્રેન સળગાવવાની તપાસ માટે નિમાયેલા જસ્ટિસ નાણાવટીના કમિશને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તત્કાલીન મુખ્ય પ્રધાન) અને તેમના પ્રધાનમંડળ તેમજ પોલીસને ક્લીનચીટ આપી હતી. પંચે તેની સુનાવણી દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી મોદીને સમન્સ પાઠવ્યા ન હતા. ગોધરા રમખાણોમાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના લઘુમતી સમુદાયના હતા.
જસ્ટિસ નાણાવટી 11 ફેબ્રુઆરી 1958ના રોજ બોમ્બે હાઈકોર્ટમાં વકીલ બન્યા હતા. તેઓ 19 જુલાઈ 1979 થી ગુજરાત હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા અને 14 ડિસેમ્બર 1993ના રોજ તેમની ઓરિસ્સા હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી. નાણાવટીને 31 જાન્યુઆરી, 1994ના રોજ ઓરિસ્સા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 28 સપ્ટેમ્બર 1994થી કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમની બદલી કરવામાં આવી હતી.
નાણાવટીને સુપ્રીમના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ નાણાવટીને 6 માર્ચ 1995થી સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 16 ફેબ્રુઆરી 2000ના રોજ નિવૃત્ત થયા હતા. 1984ના શીખ વિરોધી રમખાણોની તપાસ માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકાર દ્વારા નાણાવટી કમિશનની રચના કરવામાં આવી હતી. તેઓ નાણાવટી કમિશનના એકમાત્ર સભ્ય હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
