કૈરાનામાં ભાજપને ભારે પડ્યુ સીએમ યોગીનું આ નિવેદન
રાજકીય ગલીઓમાં ચર્ચા છે કે કૈરાનામાં આયોજિત એક જનસભામાં સીએમ યોગી આદિત્યનાથનું એક ભાષણ ભાજપની હારનું એક મોટુ કારણ બન્યુ.
પશ્ચિમ યુપીની બહુચર્ચિત સીટ કૈરાના પર વિપક્ષની એકતા સામે ભાજપે હારનો સામનો કરવો પડ્યો. કૈરાનામાં સપા-બસપા અને કોંગ્રેસના સમર્થન સાથે રાલોદની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરીને તબસ્સુમ હસને ભાજપના ઉમેદવાર મૃગાંકા સિંહને લગભગ 45 હજાર મતોથી મ્હાત આપી દીધી છે. ફૂલપુર અને ગોરખપુર જેવી મોટી સીટો ગુમાવ્યા બાદ કૈરાનામાં હારથી ભાજપ વર્તુળમાં દુઃખનો માહોલ છે. રાજકીય ગલીઓમાં ચર્ચા છે કે કૈરાનામાં આયોજિત એક જનસભામાં સીએમ યોગી આદિત્યનાથનું એક ભાષણ ભાજપની હારનું એક મોટુ કારણ બન્યુ.

શું હતુ સીએમ યોગીનું એ નિવેદન?
ફૂલપુર અને ગોરખપુરમાં હાર બાદ કૈરાનાની સીટ બચાવવા માટે સીએમ યોગી આદિત્યનાથે ત્યાં જનસભાઓ કરીને વિપક્ષી દળો પર ખૂબ પ્રહારો કર્યા. આ દરમિયાન શામલીમાં આયોજિત પોતાની છેલ્લી ચૂંટણી રેલીમાં સીએમ યોગીએ વિપક્ષ પર હુમલો કરતા કહ્યુ કે, "કૈરાનામાં આજે પિતા-પુત્ર પોતાનું અસ્તિત્વ બચાવવા માટે મતોની ભીખ માંગી રહ્યા છે." આ નિવેદનનો ઈશારો રાલોદ પ્રમુખ ચૌધરી અજીત સિંહ અને તેમના પુત્ર જયંત ચૌધરી તરફ હતો. સીએમ યોગી આદિત્યનાથના આ નિવેદનથી જાટોમાં ખોટો સંદેશ ગયો.

અને બદલાઈ ગયા કૈરાનાના સમીકરણ
જાટોને આ વાત યોગ્ય ના લાગી કે બીજી જાતિનો એક વ્યક્તિ જાટોના નેતા વિશે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે. કૈરાનામાં મોટી સંખ્યામાં જાટ મતદારો છે. જેમણે મુઝફ્ફરનગર હુલ્લડો બાદ 2014ની લોકસભા ચૂંટણી અને 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને એકતરફી સમર્થન આપ્યુ હતુ. આ નિવેદનથી જાટો ભાજપથી નારાજ થયા અને અજીત સિંહ અને જયંત ચૌધરી પ્રત્યે સહાનુભૂતિ પેદા થઈ અને સમીકરણ ભાજપની વિરોધમાં થઈ ગયુ. રાજકીય વિશેષજ્ઞોનું કહેવુ છે કે કૈરાના પેટાચૂંટણીમાં સીએમ યોગીનું આ નિવેદન ભાજપની હારનું એક મોટુ કારણ બન્યુ.

રાલોદ માટે કેમ ખાસ છે કૈરાના?
તમને જણાવી દઈએ કે કૈરાના સીટ રાલોદનો જૂનો ગઢ છે. 2014 અને 2009ની લોકસભા ચૂંટણી પહેલા કૈરાના સીટ પર સતત 10 વર્ષ સુધી રાલોદનો કબ્જો રહ્યો છે. જાટોના સર્વમાન્ય નેતા ચૌધરી ચરણ સિંહની પત્ની ગાયત્રી દેવી પણ કૈરાનાથી સાંસદ રહી ચૂક્યા છે. આ વખતે આ સીટ પરથી ચૌધરી અજીત સિંહના પુત્ર જયંત ચૌધરી ચૂંટણી લડવા ઈચ્છતા હતા પરંતુ જ્યારે વાત ન બની ત્યારે તેમણે રાલોદના ઉમેદવારને જીતાડવા માટે પોતાનો પૂરો દમ લગાવી દીધો.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
