For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૈરાનામાં જ દફન થઈ જશે ભાજપઃ તબસ્સુમ હસન

યુપીની કૈરાના લોકસભા સીટ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. આ સીટ ભાજપ સાંસદ હુકુમ સિંહના નિધન બાદ ખાલી થઈ હતી. હવે અહીં જીત માટે મુકાબલો કૈરાનાના બે પરિવારો હુકુમ સિંહ અને અખ્તર હસન વચ્ચે છે.

|
Google Oneindia Gujarati News

યુપીની કૈરાના લોકસભા સીટ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. આ સીટ ભાજપ સાંસદ હુકુમ સિંહના નિધન બાદ ખાલી થઈ હતી. હવે અહીં જીત માટે મુકાબલો કૈરાનાના બે પરિવારો હુકુમ સિંહ અને અખ્તર હસન વચ્ચે છે. આ પુત્રી અને વહુ વચ્ચેનો પણ મુકાબલો માનવામાં આવી રહ્યો છે. એક તરફ હુકુમ સિંહની દીકરી મૃગાંકા સિંહ ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે. બીજી તરફ દિવંગત સાંસદ મુનવ્વર હસનની પત્ની તબસ્સુમ હસન રાલોદના ચૂંટણી ચિહ્ન પર સપા-બસપા-કોંગ્રેસ-રાલોદ ગઠબંધનની ભાગીદારી છે. રૂઝાનોની વાત કરીએ તો તબસ્સુમ હસન 65 હજારથી વધુ સીટોથી આગળ ચાલી રહ્યા છે. જો આ જ રૂઝાન યથાવત રહ્યા તો ભાજપના હાથમાંથી આ સીટ સરકી શકે છે.

tabassum

આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તબસ્સુમ હસને કહ્યુ કે આ સત્યની જીત છે, મે મતદાન વખતે જે કહ્યુ હતુ તેના પર હજુ પણ કાયમ છું. અમારા વિરુધ્ધ ષડયંત્ર કરવામાં આવ્યુ છે એટલા માટે અમે ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણી ઈવીએમ મશીનથી કરાવવાના પક્ષમાં નથી. 2019 માટે સંયુક્ત વિપક્ષનો રસ્તો સાફ થઈ ચૂક્યો છે. તેમણે આગળ કહ્યુ કે કૈરાનામાં જ ભાજપ દફન થઈ જશે. 2019 માં યુપીમાંથી ભાજપને મળશે માત્ર 3 સીટ.

રાજકીય મેદાનમાં માસ્ટર છે તબસ્સુમ હસન

તબસ્સુમ હસનને રાજનીતિનો લાંબો અનુભવ છે. રાજનીતિના મેદાનમાં તેમને માસ્ટર કહેવામાં આવે છે. કહે છે કે તે આંકડાના ખેલની માહિર છે. વર્ષ 2009માં કૈરાના સીટથી સમાજવાદી પક્ષની સાંસદ રહી ચૂકી છે. તેમના પતિ મુનવ્વર હસન 1996માં અહીંથી સાંસદ હતા અને બાદમાં 2004માં તે બસપાની ટિકિટ પર મુઝફ્ફરનગરના સાંસદ બન્યા. તબસ્સુમના સસરા અખ્તર હસન 1984 માં કૈરાનાથી કોંગ્રેસના સાંસદ હતા. તબસ્સુમના દીકરા નાહિદ હસન કૈરાના વિધાનસભાથી સમાજવાદી પક્ષના ધારાસભ્ય છે. એટલે કે તબસ્સુમના પરિવાર લોકસભા જ નહિ પરંતુ મુઝફ્ફરનગર લોકસભામાં પણ દખલ છે.

ઉલ્લેખનીય છે કે કૈરાના લોકસભા સીટમાં શામલી જિલ્લાની 3 અને સહારનપુર જિલ્લાની 2 વિધાનસભાઓ શામેલ છે. કૈરાના કસ્બો શામલી જિલ્લામાં આવે છે. 2011 માં માયાવતીએ શામલીને જિલ્લો ઘોષિત કરતા તેનું નામ પ્રબુદ્ધનગર ઘોષિત કર્યુ હતુ. ત્યારબાદ અખિલેશ યાદવે 2012 માં તેનું નામ ફરીથી શામલી કરી દીધુ. તે પહેલા કૈરાના, મુઝફ્ફરનગરમાં આવતુ હતુ.

English summary
karnataka lok sabha bypoll 2018 path for united opposition is clear in 2019 tabassum hasan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X