મધ્ય પ્રદેશઃ કોંગ્રેસના બાગી ધારાસભ્ય બોલ્યા- કમલનાથ અમારી નથી સાંભળતા, અમે સિંધિયા સાથે
મધ્ય પ્રદેશઃ કોંગ્રેસના બાગી ધારાસભ્ય બોલ્યા- કમલનાથ અમારી નથી સાંભળતા, અમે સિંધિયા સાથે
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં ફ્લોર ટેસ્ટ પર ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના બાગી ધારાસભ્યોએ આજે પ્રેસ કોન્ફ્રેન્સ કરી. બેંગ્લોરમાં રોકાયેલ કોંગ્રેસી બાગી ધારાસભ્યોએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા તેમના નેતા છે. જો કે તેમણે કહ્યું કે, ભાજપમાં જવા પર કોઈ ફેસલો લેવામાં આવ્યો નથી. બાગી ધારાસભ્યોએ સીએમ કમલનાથ પર કેટલાય આરોપ લગાવ્યા છે સાથે જ એમ પણ કહ્યું કે તેમના પર કોઈ દબાણ નથી.

સિંધિયા અમારા નેતા
ઈમરતી દેવીએ કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા અમારા નેતા છે અને અમે હંમેશા તેમની સાથે છીએ. તેમના કહેવા પર કુવામાં પણ કૂદી જઈશ. જ્યારે ધારાસભ્ય ગોવિંદ સિંહ રાજપૂતે કહ્યું કે સીએમ કમલનાથે અમને ક્યારેય 15 મિનિટ પણ નથી સાંભળ્યા, તો અમે અમારા મતદાન ક્ષેત્રમાં વિકાસ કાર્યો માટે કોની સાથે વાત કરીએ. બાગી ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે કમલનાથે ક્યારેય તેમની વાત નથી સાંભળી.

કમલનાથ માત્ર છિંદવાડાના સીએમ બનીને રહી ગયા
તેમને પૂછવામાં આવ્યું કે શું તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ છે અથવા તો તેમને બંધક બનાવીને રાખવામાં આવ્યા છે, જેના પર બાગી ધારાસભ્યોએ કહ્યું કે, 'અમને અહીં લાવવામાં પણ નથી આવ્યા અને બંધક પણ નથી બનાવ્યા, અમે આઝાદ છીએ. ઘણી મજબૂરીમાં પાર્ટી છોડવાનો ફેસલો લીધો છે કેમ કે અમારું કોઈ સાંભળતું નથી.' બાગી ધારાસભ્યોએ કહ્યું કે કમલનાથ માત્ર છિંદવાડાના સીએમ બનીને રહી ગયા છે.

સુરક્ષાને લઈ ચિંતા
જ્યારે ભોપાલથી આવવાના સવાલ પર બાગી ધારાસભ્યોએ સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે જો જ્યોતિરાદિત્ય સિંધિયા પર હુમલો થાય છે તો અમે સુરક્ષિત કેવા, અમને સુરક્ષા મળે તો અમે ભોપાલ જશું. આ ધારાસભ્યોએ કહ્યું કે અમે બધા પેટાચૂંટણી માટે તૈયાર છીએ. આ સરકારમાં કોઈની ભાગીદારી નથી, માત્ર ચાર-પાંચ લોકો જ મળીને સરકાર ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, કમલનાથે રાજીનામું આપી દેવું જોઈએ. જણાવી દઈએ કે 22 ધારાસભ્યોના રાજીનામા બાદ કમલનાથ સરકાર પર અલ્પમતમાં આવવાનું સંકટ પેદા થઈ ગયું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
