કન્હૈયા કુમાર અને જીજ્ઞેશ મેવાણી આજે કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે!
જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મંગળવારે કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
નવી દિલ્હી : જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મંગળવારે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને જિતિન પ્રસાદ જેવા યુવા નેતાઓએ પક્ષ છોડ્યા બાદ આ બે યુવા નેતાઓ કોંગ્રેસ પાર્ટીમાં આવતા મનોબળ વધશે. કોંગ્રેસ પાર્ટી કાર્યાલયની બહાર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં કન્હૈયા કુમાર રાહુલ ગાંધી સાથે જોવા મળી રહ્યા છે.

ચૂંટણીમાં એક પછી એક હાર વચ્ચે કોંગ્રેસ પાર્ટી હવે પોતાને બદલવાની તૈયારી કરી રહી છે. હવે કોંગ્રેસની નજર આગામી વિધાનસભા ચૂંટણી પર છે. આ અંતર્ગત તે યુવાનોને પાર્ટીમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ દરેક રાજ્યમાં અભિયાન ચલાવવાની તૈયારી કરી રહી છે અને પક્ષમાં આંદોલન અને સંઘર્ષમાંથી બહાર આવેલા યુવાનોને લાવવાનો પ્રયાસ કરશે. કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી આવા યુવાનો છે, તેથી પાર્ટી તેમને સાથે લાવી રહી છે.
કન્હૈયા કુમાર બેગુસરાય બિહારના વતની છે. તેની છબી એક તેજસ્વી વિદ્યાર્થી નેતા તરીકે રહી છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં કથિત રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચારને કારણે તે ચર્ચામાં આવ્યા અને જેલમાં જવું પડ્યું. તેમણે CPI ML ના ઉમેદવાર તરીકે 2019 ની લોકસભા ચૂંટણી લડી હતી. જેમાં તેની સામે ભાજપના મજબૂત નેતા ગિરિરાજ સિંહ હતા.જો કે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળ્યા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.












Click it and Unblock the Notifications
