Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કનીમોઝીએ રાજ્ય સભા ચૂંટણી માટે નામાંકન ભર્યું

kanimozi
ચેન્નાઇ, 15 જૂન : દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે)ના અધ્યક્ષ એમ કરૂણાનિધીની પુત્રી કનિમોઝીએ શનિવારે રાજ્યસભા ચૂંટણી માટે નામાંકનપત્ર ભર્યું હતું. રાજ્યસભા ચૂંટણી 27 જૂનના રોજ યોજાવાની છે. કનિમોઝી એ છ રાજ્યસભા સભ્યોમાંથી એક છે જેમનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઇ રહ્યો છે.

ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ(એઆઇએડીએમકે)ના પાંચ ઉમેદવારો વી મૈત્રેયન, કે આર અર્જુન, ટી રાથિનવેલ, આર લક્ષમણન તથા થંગામુથું એ બુધવારે પાતાના નામાંકનપત્ર ભર્યા હતા.

તમિલનાડનની 235 સભ્યોવાળી વિધાનસભામાં એઆઇએડીએમકેના 151 સભ્યો છે. જ્યારે ડીએમડીકેના 29, ડીએમકેના 23 માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના 10, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (ભાકપા)ના આઠ સભ્યો અને કોંગ્રેસના પાંચ ધારાસભ્યો છે.

કોઇ પણ ઉમેદવારને જીતવા માટે 34 મતોની જરૂર છે. એઆઇએડીએમકેના સહયોગી દળોની મદદથી ઓછામાં ઓછી પાંચ બેઠકો પર જીતની આશા છે. જો આમ થાય તો રાજ્યસભામાં તેમના સ્ભ્યોની સંખ્યા આઠ થઇ જશે, જે વર્તમાનમાં પાંચ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X