For Daily Alerts
કનીમોઝીએ રાજ્ય સભા ચૂંટણી માટે નામાંકન ભર્યું
ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ(એઆઇએડીએમકે)ના પાંચ ઉમેદવારો વી મૈત્રેયન, કે આર અર્જુન, ટી રાથિનવેલ, આર લક્ષમણન તથા થંગામુથું એ બુધવારે પાતાના નામાંકનપત્ર ભર્યા હતા.
તમિલનાડનની 235 સભ્યોવાળી વિધાનસભામાં એઆઇએડીએમકેના 151 સભ્યો છે. જ્યારે ડીએમડીકેના 29, ડીએમકેના 23 માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના 10, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (ભાકપા)ના આઠ સભ્યો અને કોંગ્રેસના પાંચ ધારાસભ્યો છે.
કોઇ પણ ઉમેદવારને જીતવા માટે 34 મતોની જરૂર છે. એઆઇએડીએમકેના સહયોગી દળોની મદદથી ઓછામાં ઓછી પાંચ બેઠકો પર જીતની આશા છે. જો આમ થાય તો રાજ્યસભામાં તેમના સ્ભ્યોની સંખ્યા આઠ થઇ જશે, જે વર્તમાનમાં પાંચ છે.
Comments
English summary
Kanimozhi files nomination for Rajya Sabha polls.
Story first published: Saturday, June 15, 2013, 17:41 [IST]