Kargil Earthquake : કારગીલમાં 4.3ની તીવ્રતાના ભૂકંપ આંચકા અનુભવાયા
Kargil Earthquake : દેશના અલગ અલગ ભાગોમાં ભૂકંપના આંચકા નોંધાઇ રહ્યા છે. દિલ્હીમાં એક અઠવાડિયામાં બે વાર ધરતીકંપના આંચકા નોંધાયા હતા. આ વચ્ચે હવે મંગળવારના રોજ કારગીલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Kargil Earthquake : દેશના અલગ અલગ ભાગોમાં ભૂકંપના આંચકા નોંધાઇ રહ્યા છે. દિલ્હીમાં એક અઠવાડિયામાં બે વાર ધરતીકંપના આંચકા નોંધાયા હતા. આ વચ્ચે હવે મંગળવારના રોજ કારગીલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની રિક્ટેલ સ્કેલ પર 4.3 તીવ્રતા નોંધાઇ હતી.

ભૂકંપનું કેન્દ્ર કારગીલથી 191 કિમી ઉત્તરમાં હતું
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લદ્દાખના કારગીલમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર કારગીલથી 191 કિમી ઉત્તરમાં હતું, જ્યાં મંગળવારની સવારે 10:05 કલાકે ભૂકંપ આવ્યો હતો.

લોકોમાં ડરનો માહોલ
હાલમાં કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, દેશના ઘણા ભાગોમાં વારંવાર ભૂકંપનાઆંચકાએ લોકોને ડરાવી દીધા છે. આ અગાઉ દિલ્હીમાં સતત બે-ત્રણ દિવસ સુધી આવેલા ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળીરહ્યો છે.

સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી
કારગિલ લદ્દાખથી આગળ મંગળવારની સવારે સોલોમન ટાપુઓમાં મલંગોના દક્ષિણ-પશ્ચિમમાં રિક્ટર સ્કેલ પર 7.3 ની તીવ્રતા ધરાવતોભૂકંપ અનુભવાયો હતો.
આ સાથે જ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે અને દરિયા કિનારે રહેતા લોકોને સલામત સ્થળે જવામાટે જણાવવામાં આવ્યું છે.

ઈન્ડોનેશિયામાં ભૂકંપે મચાવી તબાહી
કારગીલ ભૂકંપના એક દિવસ પહેલા, ઇન્ડોનેશિયામાં ભૂકંપએ તબાહી મચાવી હતી. સોમવારના રોજ ઈન્ડોનેશિયામાં ભૂકંપના કારણે 162લોકોના મોત થયા હતા, જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઈન્ડોનેશિયામાં સોમવારના રોજ આવેલા ભૂકંપની તીવ્રતા 5.4માપવામાં આવી હતી. અહેવાલો અનુસાર ભૂકંપનું કેન્દ્ર સિયાનજુર શહેરની નજીક હતું.












Click it and Unblock the Notifications
