Karnataka CM : મુખ્યમંત્રીના સસ્પેન્સ વચ્ચે શપથગ્રહણ સમારોહની તારીખ જાહેર, આ તારીખે નવા મુખ્યમંત્રી શપથ લેશે
કોંગ્રેસે કર્ણાટકમાં બીજેપીને સત્તામાંથી ઉખાડીને ઈતિહાસ રચી દીધો છે. હવે કોંગ્રેસે સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. જો કે મુખ્યમંત્રીના નામની જાહેરાત પહેલા જ નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહની તારીખ સામે આવી ગઈ છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત બાદ કોંગ્રેસ હવે મુખ્યમંત્રી અને ધારાસભ્ય દળની બેઠકમાં વ્યસ્ત છે. હજુ સુધી સીએમના નામની જાહેરાત કરાઈ નથી પરંતુ નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહની તારીખ સામે આવી ગઈ છે.

સુત્રોના માધ્યમથી મળી રહેલા સમાચારો અનુસાર, મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ વચ્ચે કર્ણાટકને ગુરુવારે નવા મુખ્યમંત્રી શપથ લેશે. એનડીટીવીના અહેવાલ મુજબ, કર્ણાટકના નવા મુખ્યમંત્રી અને કેબિનેટમંત્રીઓ ગુરુવાર અને 18 મેના રોજ શપથ લેશે.
અહેવાલો અનુસાર, શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહેશે. આ સિવાય કોંગ્રેસે તમામ સમાન વિચારધારા વાળા પક્ષોને પણ આમંત્રણ મોકલ્યા છે.
તારીખો તો સામે આવી ગઈ પણ મુખ્યમંત્રી કોણ બનશે તે માટે બેંગલુરુની શાંગરી-લા હોટલમાં કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમાર પહોંચ્યા છે.
હાલ કોંગ્રેસના આ બંને દિગ્ગજ નેતાઓના ઘરે સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમર્થકો પોતાના નેતાને સીએમ બનાવવા માંગ કરી રહ્યા છે. હવે આ બેઠક બાદ કર્ણાટકમાં સરકારનું સાચુ ચિત્ર સામે આવશે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
