સિદ્ધરમૈયાનો દાવ શરૂ, મનમોહન સિંહને મળ્યા

પૂર્વમાં પ્રધાનમંત્રીએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પર સિદ્ધરમૈયાને શુભેચ્છા આપી હતી અને તેમના સારા ભવિષ્યની કામના કરી હતી.
પ્રધાનમંત્રીની મુલાકાત બાદ સિદ્ધ રમૈયાએ પત્રકારોને કહ્યું કે 'આ એક શિષ્ટાચાર મુલાકાત હતી.' કહેવાય છે કે રાજધાનીમાં પ્રવાસ દરમિયાન સિદ્ધરમૈયા પોતાના મંત્રિમંડળના ગઠ અંગે કેન્દ્રીય નેતાઓની સાથે સલાહ-સૂચન કરશે.
અત્રે આવ્યા બાદ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે મંત્રિમંડળનું ગઠન કેટલાક દિવસમાં જ થઇ જશે જેમાં ચોખ્ખી છબિ ધરાવતા લોકોને જ સ્થાન આપવામાં આવશે.
રાજ્યમાં પાંચ મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની લડાઇનું નેતૃત્વ સિદ્ધરમૈયા અને કર્નાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જી પરમેશ્વરે કર્યું હતું. સત્તા વિરોધી જુવાળનો ફાયદો ઉઠાવતા કોંગ્રેસે આ ચૂંટણીમાં પોતાની દક્ષિણી ધ્રુવ પર એક વાર ફરી કબજો જમાવી લીધો અને 121 બેઠકો જીતીને ભાજપાને સત્તા પરથી બેદખલ કરી દીધું.












Click it and Unblock the Notifications
