Karnataka Election: તેજસ્વી સૂર્યાનુ નામ ભાજપના સ્ટાર પ્રચારકોમાં નહિ, કોંગ્રેસે ગણાવ્યો 'નફરતી ચિંટુ'
Karnataka Election: ભાજપે બુધવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, આઠ કેબિનેટ મંત્રીએ, ત્રણ રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને ઘણા વરિષ્ઠ નેતાઓના નામનો સમાવેશ થાય છે.
હવે આ યાદીને લઈને કર્ણાટકનુ રાજકારણ ગરમાયુ છે. વાસ્તવમાં, સ્ટાર પ્રચારકોની યાદીમાં ભાજપના સાંસદો તેજસ્વી સૂર્યા, પ્રતાપ સિમ્હા અને પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના પુત્ર બીવાય વિજયેન્દ્રનુ નામ નથી. સૂર્યા યુવા મોરચાના પ્રમુખ છે જ્યારે સિમ્હા તેમના ભડકાઉ હિંદુત્વના રાજકારણ માટે જાણીતા છે.

જો કે, ભાજપના નેતાઓ તેને સામાન્ય બાબત ગણાવી રહ્યા છે. તે માને છે કે લિસ્ટમાંથી સૂર્યાનુ નામ ગાયબ થવુ એ નકારાત્મક બાબત નથી. તેઓ તેમના મતવિસ્તાર અને બેંગલુરુ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાના છે. આ કારણે તેમનુ નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ નથી. જોકે તેઓ ત્રિપુરા જેવા કેટલાક રાજ્યોમાં પાર્ટીના સ્ટાર પ્રચારક હતા.
જ્યારે વિજયેન્દ્રનુ નામ હટાવવામાં આવ્યુ હતુ ત્યારે ભાજપના સૂત્રોએ જણાવ્યુ હતુ કે પાર્ટીનો એક વર્ગ નથી ઈચ્છતો કે કર્ણાટકમાં બીજા યેદિયુરપ્પાને ફરીથી ચૂંટવામાં આવે. આ સ્થિતિમાં, તેમનો વારસો હોવા છતાં, તેઓ ફક્ત શિકારીપુરા સુધી સીમિત હતા.
બીજી તરફ સૂર્યાનુ નામ પડતાની સાથે જ કોંગ્રેસે આ મુદ્દો પકડી લીધો હતો. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે એક ટ્વીટમાં લખ્યુ છે કે કોંગ્રેસને જ્ઞાન વહેંચતા મહાનુભાવો, એક નજર ભાજપના કર્ણાટક સ્ટાર પ્રચારકોની યાદી પર તો નાખો.
તેમણે આગળ લખ્યુ કે માત્ર સ્વ-ઘોષિત ટાઈગર શ્રીમંત સિંધિયા જ નહીં, બેંગલુરુના સાંસદ અને ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ શ્રી તેજસ્વી 'ઇમરજન્સી એક્ઝિટ' સૂર્યા પણ યાદીમાંથી ગાયબ છે. નફરતી ચિન્ટુને પોતાના રાજ્યમાં કોઈ પૂછનાર નથી. હવે ચણાના ઝાડ પરથી નીચે આવો.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં તેજસ્વી સૂર્યાનુ નામ એક મોટા વિવાદ સાથે જોડાયુ હતુ. તે ઈન્ડિગોની ફ્લાઈટથી ચેન્નાઈ જઈ રહ્યો હતો. ત્યારે જ તેણે પ્લેનનો ઈમરજન્સી દરવાજો ખોલ્યો. બાદમાં તેણે આ માટે માફી પણ માંગી હતી પરંતુ આ ઘટનાને કારણે ફ્લાઈટ મોડી પડી હતી. આ માટે કોંગ્રેસે હવે તેમની ટીકા કરી છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: આગામી બે દિવસ બાદ પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
