6 મેના રોજ ખોલવામાં આવશે કેદારનાથના કપાટ, ચારધામ યાત્રા આ દિવસથી થશે શરુ
વિશ્વ પ્રસિદ્ધ બાબા કેદારનાથના કપાટ 6 મેના રોજ સવારે 6 વાગીને 25 મિનિટે ખોલવામાં આવશે.
દહેરાદૂનઃ વિશ્વ પ્રસિદ્ધ બાબા કેદારનાથના કપાટ 6 મેના રોજ સવારે 6 વાગીને 25 મિનિટે ખોલવામાં આવશે. આજે મહાશિવરાત્રિના પર્વ પર શિતકાલીન ગાદી સ્થળ ઓમકારેશ્વર મંદિર ઉખીમઢમાં આચાર્ય વેદપાઠી અને હક-હકૂકધારીઓની ઉપસ્થિતિમાં 12માં જ્યોર્તિલિંગમાં શામેલ ભગવાન કેદારનાથના કપાટ ખુલવાની તિથિ નક્કી કરવામાં આવી છે.

2મેએ રવાના થશે ડોલી
ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં પૌરાણિક પરંપરાઓ અનુસાર શિવરાત્રિના પર્વ પર કેદારનાથના કપાટ ખુલવાની તિથિ વૈદિક પૂજા અર્ચના સાથે જ પારંપરિક રીતિ રિવાજ હેઠળ ઘોષિત કરવામાં આવી છે. કેદારનાથના કપાટ 6 મેના રોજ સવારે 6.25 વાગે શુભ મુહુર્તમાં ખુલશે. ઓમકારેશ્વર મંદિર ઉખીમઠના બાબા કેદારની ડોલી 2 મેએ કેદાર ધામ માટે પ્રસ્થાન કરશે. બે મેના રોજ બાબા કેદારનાથની ડોલી કેદારધામ માટે રવાના થશે. 2 મેએ ડોલી ગુપ્તકાશી, 3 મેએ ફાટા, 4 મેએ ગૌરીકુંડ તે રાતે વિશ્રામ બાદ 5 મેએ કેદારનાથ ધામ પહોંચશે. 6 મેએ સવારે 6 વાગીને 25 મીનિટે કપાટ ભક્તો માટે દર્શનાર્થે ખોલી દેવામાં આવશે. કેદારનાથના રાવળ ભીમાશંકર લિંગ, કેદારનાથના ધર્માધિકારી ઓમકારેશ્વલ શુક્લા, પૂજારી તેમજ વેદપાઠીગણો દ્વારા પંચાંગ ગણના બાદ કપાટ ખુલવાની તિથિ તેમજ મુહુર્ત નિશ્ચિત કરવામાં આવ્યા.
8 મેના રોજ ખુલશે બદરીના વિશાળ કપાટ
ઉત્તરાખંડમાં વિશ્વ પ્રસિદ્ધ ચારધામ છે જેના કપાટ ખોલવાની તિથિ હવે સામે આવી ગઈ છે. બદરીનાથ ધામના કપાટ ખોલવાની તારીખનુ એલાન પહેલા જ કરી દેવામાં આવ્યુ છે. બદરીનાથ ધામ મંદિરના કપાટ 8 મેના રોજ 6 વાગીને 15 મિનિટે ખોલવામાં આવશે. ગંગોત્રી અને યમુનોત્રિના કપાટ અક્ષય તૃતીયાના પાવન પર્વ પર 3 મેના રોજ ખોલવામાં આવશે. આ રીતે ચારધામ યાત્રાની શરુઆત 3મેના રોજ થઈ જશે. ગંગોત્રી, યમુનોત્રી બાદ 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદરીનાથના કપાટ ખુલશે.
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ



Click it and Unblock the Notifications
