6 મેના રોજ ખોલવામાં આવશે કેદારનાથના કપાટ, ચારધામ યાત્રા આ દિવસથી થશે શરુ
વિશ્વ પ્રસિદ્ધ બાબા કેદારનાથના કપાટ 6 મેના રોજ સવારે 6 વાગીને 25 મિનિટે ખોલવામાં આવશે.
દહેરાદૂનઃ વિશ્વ પ્રસિદ્ધ બાબા કેદારનાથના કપાટ 6 મેના રોજ સવારે 6 વાગીને 25 મિનિટે ખોલવામાં આવશે. આજે મહાશિવરાત્રિના પર્વ પર શિતકાલીન ગાદી સ્થળ ઓમકારેશ્વર મંદિર ઉખીમઢમાં આચાર્ય વેદપાઠી અને હક-હકૂકધારીઓની ઉપસ્થિતિમાં 12માં જ્યોર્તિલિંગમાં શામેલ ભગવાન કેદારનાથના કપાટ ખુલવાની તિથિ નક્કી કરવામાં આવી છે.

2મેએ રવાના થશે ડોલી
ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં પૌરાણિક પરંપરાઓ અનુસાર શિવરાત્રિના પર્વ પર કેદારનાથના કપાટ ખુલવાની તિથિ વૈદિક પૂજા અર્ચના સાથે જ પારંપરિક રીતિ રિવાજ હેઠળ ઘોષિત કરવામાં આવી છે. કેદારનાથના કપાટ 6 મેના રોજ સવારે 6.25 વાગે શુભ મુહુર્તમાં ખુલશે. ઓમકારેશ્વર મંદિર ઉખીમઠના બાબા કેદારની ડોલી 2 મેએ કેદાર ધામ માટે પ્રસ્થાન કરશે. બે મેના રોજ બાબા કેદારનાથની ડોલી કેદારધામ માટે રવાના થશે. 2 મેએ ડોલી ગુપ્તકાશી, 3 મેએ ફાટા, 4 મેએ ગૌરીકુંડ તે રાતે વિશ્રામ બાદ 5 મેએ કેદારનાથ ધામ પહોંચશે. 6 મેએ સવારે 6 વાગીને 25 મીનિટે કપાટ ભક્તો માટે દર્શનાર્થે ખોલી દેવામાં આવશે. કેદારનાથના રાવળ ભીમાશંકર લિંગ, કેદારનાથના ધર્માધિકારી ઓમકારેશ્વલ શુક્લા, પૂજારી તેમજ વેદપાઠીગણો દ્વારા પંચાંગ ગણના બાદ કપાટ ખુલવાની તિથિ તેમજ મુહુર્ત નિશ્ચિત કરવામાં આવ્યા.
8 મેના રોજ ખુલશે બદરીના વિશાળ કપાટ
ઉત્તરાખંડમાં વિશ્વ પ્રસિદ્ધ ચારધામ છે જેના કપાટ ખોલવાની તિથિ હવે સામે આવી ગઈ છે. બદરીનાથ ધામના કપાટ ખોલવાની તારીખનુ એલાન પહેલા જ કરી દેવામાં આવ્યુ છે. બદરીનાથ ધામ મંદિરના કપાટ 8 મેના રોજ 6 વાગીને 15 મિનિટે ખોલવામાં આવશે. ગંગોત્રી અને યમુનોત્રિના કપાટ અક્ષય તૃતીયાના પાવન પર્વ પર 3 મેના રોજ ખોલવામાં આવશે. આ રીતે ચારધામ યાત્રાની શરુઆત 3મેના રોજ થઈ જશે. ગંગોત્રી, યમુનોત્રી બાદ 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદરીનાથના કપાટ ખુલશે.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
