નવજોત સિદ્ધુએ ખુદને સીએમ ચહેરો ગણાવ્યો, કહ્યું- કેજરીવાલને પંજાબમાં સીએમ ચહેરો નથી મળી રહ્યો
નવજોત સિદ્ધુએ ખુદને સીએમ ચહેરો ગણાવ્યો, કહ્યું- કેજરીવાલને પંજાબમાં સીએમ ચહેરો નથી મળી રહ્યો
જાન તૈયાર છે પરંતુ કેજરીવાલને હજી સુધી વરરાજો મળ્યો નથી. કેજરીવાલ પર આવો કટાક્ષ પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રધાન નવજોત સિંહ સિદ્ધુએ કર્યો. તેઓ કાદિયાંના ધારાસભ્ય ફતેહજંગ સિંહ બાજવા દ્વારા આયોજિત રેલીને સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે દિલ્હીના મુખ્યમંત્રીને આડેહાથ લીધા હતા. સિદ્ધુ પહેલીવાર સૌથી વધુ કેજરીવાલ વિરુદ્ધ બોલ્યા અને પોતાના ભાષણમાં ખુદને કેટલીયવાર સીએમ ચહેરાના રૂપમાં રજૂ કર્યા.

કેજરીવાલ પર પ્રહાર
સિદ્ધુએ આરોપ લગાવ્યો કે કેજરીવાલ જૂઠાણાના પાયા પર પંજાબમાં આમ આદમી પાર્ટીની હવા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સિદ્ધુએ કહ્યું કે કેજરીવાલ દિલ્હીની હવાને ના કરી શક્યા અને પંજાબની પરાલીની વાત કરે છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં શીલા દીક્ષિતની સરકારના સમયે છ હજાર બસ સીએનજી પર ચાલતી હતી, જો કે આજે ત્રણ હજાર બચી છે. દિલ્હીમાં કેજરીવાલ દ્વારા પ્રદૂષણ ફેલાવતા ઑટો રીક્ષાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જેને પગલે દિલ્હીની હવા પ્રદૂષિત થઈ છે.

કેજરીવાલ પંજાબમાં દેખાયા નહોતા
તેમણે કહ્યું કે સાઢા ચાર વર્ષ સુધી કેજરીવાલ પંજાબમાં દેખાયા નહોતા. જ્યારે સિદ્ધુ નશા તસ્કરો સામે અવાજ ઉઠાવતા તો એવા સમયે કેજરીવાલે માફી માંગી લીધી. તેમણે કહ્યું કે કેજરીવાલ પંજાબની મા અને બહેનોને હજાર રૂપિયાની લાલચ આપી રહ્યા છે. જો તેઓ મહિલાઓના આટલા જ હિતેચ્છુ હોય તો જણાવે કે દિલ્હી કેબિનેટમાં કેટલી મહિલાઓ છે?

26 લાખ નોકરીઓની વાત
સિદ્ધુએ કહ્યું કે કેજરીવાલ 26 લાખ નોકરીઓની વાત કરી રહ્યા છે. આવી વાતો કરવા પર જ લોકોએ કેપ્ટનને સાઈડ પર કર્યા છે. સિદ્ધુએ કહ્યું કે કેજરીવાલ પંજાબના લોકોને જે સુવિધાઓ આપવાની વાત કરી રહ્યા ચે તેના માટે વાર્ષિક 1 લાખ દસ હજાર કરોડ રૂપિયાની જરૂરત પડશે. જ્યારે પંજાબનું વાર્ષિક બજેટ જ 72 હજાર કરોડ રૂપિયા છે. તેમાં 70 હજાર કરોડ રૂપિયા પગારમાં ચાલ્યું જાય છે. બાકીના પૈસા ક્યાંથી લાવશે.

મારો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રોજગાર આપવાનો છે
નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે 2022ની ચૂંટણી હું સત્તામાં આવવા માટે નહીં બલકે પંજાબની આગામી પેઢીને બચાવવા માટે લડીશ. તેમણે કહ્યું કે મારો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રોજગાર આપવાનો છે અને ખેડૂતોની આવક વધારવાનો હશે. તેમણે કહ્યું કે 2022માં કોંગ્રેસની સરકાર બન્યા બાદ દાળ અને તેલ પર એમએસપી આપવામાં આવશે. સિદ્ધુએ કહ્યું કે કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા ખેડૂતોને શેરડીનું મૂલ્ય 360 રૂપિયા આપવાનું વચન અપાયું હતું. પરંતુ મિલો દ્વારા તેમને 325 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે 2022ની ચૂંટણી બાદ સરકાર બનવા પર 360 રૂપિયા આપવામાં આવશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
