ED તમામ ચાર સાક્ષીનો સંબંધ બીજેપી સાથે, કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો
દિલ્હી લીકર પોલીસી કેસમાં જેલમાં રહેલા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં તેમનો જવાબ દાખલ કર્યો છે. તેમણે આ કેસના સાક્ષીઓનો સંબંધ બીજેપી સાથે હોવાનો દાવો કર્યો છે.
EDના આરોપો પર કેજરીવાલે કહ્યું છે કે તપાસ એજન્સીના ચારેય સાક્ષીઓ ભાજપ સાથે સંબંધિત છે. તેમના નિવેદનના આધારે જ મારી ધરપકડ કરવામાં આવી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હીની આબકારી નીતિમાં કથિત કૌભાંડની તપાસ કરી રહી છે. ઈડીએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલે EDની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.
થોડા દિવસો પહેલા EDએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો. હવે કેજરીવાલે પણ આ મામલે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે.
કેજરીવાલે તેના જવાબમાં કહ્યું છે કે ચારેય સાક્ષીઓ ભાજપના છે. કેજરીવાલે કહ્યું કે, ભાજપ સમર્થિત લોકસભાના ઉમેદવાર મગુન્તા શ્રીનિવાસન રેડ્ડી, કહેવાતા દારૂ કૌભાંડમાં ભાજપને 60 કરોડ રૂપિયાનું દાન આપનાર સરથ રેડ્ડી, ભાજપના ગોવાના વરિષ્ઠ નેતા પ્રમોદ સાવંતના નજીકના સત્ય વિજય અને ગોવાના સીએમ કેમ્પૈન મેનેજરના નિવેદનોના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે, હવાલા એજન્ટ પાસેથી ગુજરાતીમાં લખેલી ડાયરી મળી આવી છે. ભાજપે પોતાની રીતે પુરાવા તૈયાર કર્યા અને રજૂ કર્યા.
જણાવી દઈએ કે, આ પહેલા EDએ સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલની અરજી પર જવાબ દાખલ કર્યો હતો. EDએ દાવો કર્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કૌભાંડના મુખ્ય કાવતરાખોર છે અને હકીકત આધારિત ગુના માટે કોઈની ધરપકડ કરવાથી મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના ખ્યાલનું ઉલ્લંઘન થઈ શકે નહીં.
EDએ દાવો કર્યો હતો કે કેજરીવાલે તેના મંત્રીઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળીને આ કૌભાંડ કર્યું અને એક્સાઈઝ પોલિસીમાં આપવામાં આવેલા લાભોના બદલામાં દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સામેલ હતા.












Click it and Unblock the Notifications
