વિપક્ષી એકતાની કવાયત વચ્ચે કેજરીવાલ-નીતિશ કુમાર વચ્ચે મહત્વની બેઠક, જાણો બન્ને વચ્ચે શું વાત થઈ?
કર્ણાટકમાં બીજેપીને સડસડતો તમાચો માર્યા બાદ હવે તમામ વિપક્ષી પાર્ટીઓમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. આ ક્રમમાં તમામ પાર્ટીઓ એક થઈને લોકશાહી વિરોધી ગતિવિધીઓ માટે જાણીતી મોદી સરકારનો વિરોધ કરવાનો પ્લાન કરી રહ્યા છે. હવે નીતિશ-કેજરીવાલ વચ્ચે બેઠક યોજાઈ છે.
નીતિશ કુમાર અને અરવિંદ કેજરીવાલ ઘણી વખત વિપક્ષી એકતાની વાતો કરતા રહ્યા છે ત્યારે હવે નીતિશ કુમાર દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ઘરે મુલાકાત માટે પહોંચ્યા હતા. અહીં તેમની સાથે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ જોવા મળ્યા હતા.

કેજરીવાલ અને નીતિશની આ મુલાકાત કલાકો ચાલી હતી. મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશને નકારતા અધ્યાદેશ લાવવા મુદ્દે અમે લોકો સાથે છીએ. જો કેન્દ્ર અધ્યાદેશને વિધેયકના રૂપમાં લાવે તો તમામ વિપક્ષી પક્ષો સાથે મળીને રાજ્યસભામાં બીજેપીને હરાવી શકે છે. જો આવુ થાય તો મેસેજ જશે કે 2024માં મોદી સરકારને હરાવી શકાય છે.
બીજી તરફ આ મુદ્દે નીતિશ કુમારે કહ્યું કે, એક ચૂંટાયેલી સરકારની તાકાત કેવી રીતે છીનવી શકાય? આ બંધારણ વિરોધી છે અને અરવિંદ કેજરીવાલ સાથે છીએ. અમે દેશના તમામ વિપક્ષોને એક સાથે લાવવાની કોશિશ કરી રહ્યા છીએ.
અહીં તમને જણાવી દઈએ કે, કેજરીવાલ અને નીતિશ કુમાર વચ્ચે આ પહેલી મુલાકાત નથી. આ પહેલા પણ બન્ને મુલાકાત કરી ચૂક્યા છે. બિહારના સીએમ નીતિશ કુમારે મીડિયાને ઘણી વખત સ્પષ્ટ કર્યું છે ક, જો વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવે તો લોકસભા ચૂંટણીમાં બીજેપીનો સફાયો થઈ શકે છે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે માત્ર કેજરીવાલ જ નહીં, મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને શરદ પવાર સહિતના નેતાઓ એક મંચ પર આવવા માટે અપીલ કરી ચુક્યા છે.












Click it and Unblock the Notifications
