'કેઝરીવાલ અણ્ણા હઝારે પાસે 2 કરોડનો ચેક લઇને ગયા હતા'
આ અંગેનો ખુલાસો એક સમાચારપત્રએ પોતાના સમાચાર કર્યો હતો. આ સમાચાર ઇંડિયા અગેન્ટ કરપ્શનના એક સભ્યના હવાલાથી લખવામાં આવ્યા છે. આ પૈસા ઇંડિયા અગેન્ટ કરપ્શનના હતા, જે કેઝરીવાલના એનજીઓ પીસીઆરએફના ખાતામાં જમા હતા. આ પૈસા આપવા માટે કેઝરીવાલ દિલ્હીથી રાલેગણ સિદ્ધિ સુધી ગયા હતા.
કેઝરીવાલે અણ્ણાને વિનંતી કરી હતી કે તે 2 કરોડનો ચેક સ્વિકાર કરી લે, પરંતુ અણ્ણાએ સ્પષ્ટ મનાઇ કરી દિધી હતી. સમિતિના પૂર્વ સભ્ય દિનેશ વાધેલાએ આ વાતની પુષ્ટિ કરી છે. ઇંડિયા અગેન્ટ કરપ્શનના વધેલા પૈસાનો મુદ્દો 20 સપ્ટેમ્બરે દિલ્હીના મહારાષ્ટ્ર સદનમાં યોજાયેલી એક બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો.
અગત્યની વાત એ છે કે પીસીઆરએફના ખાતામાં જમા ઇંડિયા અગેન્ટ કરપ્શનના ધનનો હિસાબ કરવો ઘણો કઠિન છે, કારણ કે 2011 એપ્રિલમાં જંતર-મંતર પર યોજાયેલા પ્રદર્શન પછી ઇંડિયા અગેન્ટ કરપ્શનના ખાતામાં લોકોએ ખૂબ દાન કર્યું હતું. 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2011 સુધી આ ધન લગભગ 2.94 કરોડ થઇ ગયું છે. ઇંડિયા અગેન્ટ કરપ્શનના જણાવ્યા મુજબ તેમણે 6 મહિનામાં લગભગ 1.57 કરોડ ખર્ચ કર્યા હતા. ત્યારબાદ ઇંડિયા અગેન્ટ કરપ્શને પોતાનો ખર્ચ સાર્વજનિક કર્યો નથી.
જો કેઝરીવાલે આ પૈસા અણ્ણાને આપવાનો પ્રયત્ન કર્યો છે તો તે એક ઇમાનદાર કાર્યકર્તા હોવાના નાતે તેમને બિલકુલ સારૂ કર્યું નથી. ટીમ અણ્ણામાં ફાટ પડી ગઇ છે અને પૈસા કેઝરીવાલાના એનજીઓના ખાતામાં જ જમા છે, હાલમાં પ્રશ્ન એ છે કે આ ધન કોના ખાતામાં જમા થવું જોઇએ.