કેજરીવાલનો બીજેપી પર મોટો આરોપ, કહ્યું- ગુજરાતની ચૂંટણીમાંથી બહાર થાય તો સત્યેન્દ્ર જૈનને મુક્ત કરશે.
એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ છે તો બીજી તરફ કેજરીવાલ ગુજરાતમાં પગપેસારો કરવા માટે સતત બીજેપી પર પ્રહારો કરી રહ્યા છે.
નવી દિલ્હી : એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ છે તો બીજી તરફ કેજરીવાલ ગુજરાતમાં પગપેસારો કરવા માટે સતત બીજેપી પર પ્રહારો કરી રહ્યા છે. હવે કેજરીવાલે દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને મુક્ત કરવા બીજેપીએ સૌદેબાજી કરવાનો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે કહ્યું કે, બીજેપી તરફથી તેમને ઓફર કરવામાં આવી છે કે જો આમ આદમી પાર્ટી ગુજરાત ચૂંટણીમાંથી ખસી જાય તો જેલમાં રહેલા સત્યેન્દ્ર જૈનને છોડી દેવામાં આવશે.
કેજરીવાલ આ દિવસોમાં બીજેપી પર સતત પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે તેઓએ મીડિયા સાથે વાતચીતમાં આ આરોપ લગાવ્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે 200 કરોડના મની લોન્ડ્રીંગ કેસના આરોપી સુકેશ ચંદ્રશેખરે પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે સત્યેન્દ્ર જૈને તેની પાસેથી 10 કરોડ રૂપિયા લીધા હતા. હવે કેજરીવાલે આ પત્રને મનોહર કહાની ગણાવ્યો છે. કેજરીવાલે કહ્યું કે, ગુજરાતના મોરબી દુર્ઘટના પરથી લોકોનું ધ્યાન હટાવવા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ઠગ સુકેશ ચંદ્રશેખરનો પત્ર બનાવટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. પત્ર પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે જો તે સાચું છે તો એફઆઈઆર કેમ નોંધવામાં ન આવી?
પત્ર પર સવાલ ઉઠાવતા કેજરીવાલે કહ્યું કે, બીજેપી તરફથી કોલકાતામાં હવાલાનો ધંધો કરતા બે લોકોને પકડીને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ બોલાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે સત્યેન્દ્ર જૈન કોલકાતાના બંને ડીલરો માટે ખતરો છે, તેથી ભાજપ તેમને રૂબરૂ રજૂ કરવામાં ન આવ્યા. ભાજપ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, આ કેસમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે પુરાવા માંગવામાં આવ્યા ત્યારે પણ જજને બદલવાની માંગ કરવામાં આવી હતી. સત્યેન્દ્ર જૈનને ખોટી રીતે 5 મહિનાથી જેલમાં રાખવામાં આવ્યા છે.