દિલ્હીમાં સુપ્રીમ કોર્ટનો આદેશ ઉલટાવવા લવાયેલા અધ્યાદેશને લઈને કેજરીવાલે પીએમ મોદીને ટોણો માર્યો
કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચેની જૂની લડાઈમાં હાલમાં જ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને તમાચો મારતી હોય તેમ દિલ્હી સરકારના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. હવે આ આદેશને પલટાવવા માટે કેન્દ્ર સરકાર અધ્યાદેશ લાવી રહી છે. જેનો લઈને કેજરીવાલે પીએમ મોદીને ટોણો માર્યો છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને અધિકાર આપ્યા બાદ હવે અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગને લઈને કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ વધી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટાવવા માટે કેન્દ્ર દ્વારા અધ્યાદેશ લવાતા કેજરીવાલ આક્રમક પ્રહારો કરી રહ્યા છે.

કેન્દ્ર સરકારની દાદાગીરી સામે કેજરીવાલ સતત પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે આજે ફરી એકવાર અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના 10 વર્ષ જૂના ટ્વિટને લઈને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. અહીં કેજરીવાલે પુછ્યુ કે, સાહેબ તમે વટહુકમ કેમ લાવ્યા?
કેજરીવાલે પીએમ મોદીનું 10 વર્ષ જુનુ ટ્વિટ રીટ્વિટ કરીને પ્રહારો કર્યા. આ ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યુ હતું કે, સંસદની બેઠક થઈ રહી છે. કેન્દ્ર સંસદને વિશ્વાસમાં લઈને સારું બિલ કેમ ન આપી શક્યું? વટહુકમ શા માટે? હવે પીએમને આ 10 વર્ષ જૂના ટ્વીટની યાદ અપાવતા કેજરીવાલે પૂછ્યું છે કે સાહેબ વટહુકમ કેમ લાવ્યા?
આ પહેલા પણ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કેજરીવાલ નાની વસ્તુ છે, જનતા મોટી છે. હું દિલ્હીના દરેક ઘરે જઈશ, લોકોને કહીશ કે કેવી રીતે તેમણે લોકોના હક છીનવી લીધા. દેશમાં આ રીતે સરમુખત્યારશાહી આવશે તો જનતા કેવી રીતે ટકી શકશે?
Why ordinance Sir? https://t.co/C9otuhtY4X
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 21, 2023
કેજરીવાલે આગળ કહ્યું હતું કે, લાગે છે કે આ લડાઈ કેન્દ્ર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ બની ગઈ છે. જો સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોઈ આદેશ આપે તો આ લોકો વટહુકમ લાવીને તેને ઉલટાવી દેશે. દેશની જનતા ક્યાં જશે?
અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે અધ્યાદેશમાં લખ્યુ છે કે, દિલ્હીમાં તમામ સંવિધાનિક સંસ્થાઓ છે. તેને ધ્યાનમાં રાખીને આ આદેશ લાવવામાં આવ્યો છે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત












Click it and Unblock the Notifications
