અયોધ્યામાં લોકો ભવ્ય મંદિરની પ્રતીક્ષા કરી રહ્યા છે અને તે બનશેઃ કેશવ પ્રસાદ મૌર્ય
ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ મંદિર નિર્માણ અંગે મોટુ નિવેદન આપ્યુ છે.
રામ મંદિર નિર્માણ અંગે ભાજપ નેતાઓના નિવેદનોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ જ્યાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે ત્યાં જલ્દી નિર્માણ કાર્ય શરૂ થવાનું છે તો બીજી તરફ રાજ્યના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ મંદિર નિર્માણ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. મૌર્યએ કહ્યુ કે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો તેનો પોતાનો વિશેષાધિકાર હોઈ શકે છે પરંતુ ભગવાન રામનું ભવ્ય મંદિર બનશે.

બાબરના નામનો એક પણ પત્થર નહિ
મૌર્યએ કહ્યુ કે એ બિલકુલ સંભવ નથી કે બાબરના નામનો એક પણ પત્થર લાગે. આ પહેલા આરએસએસએ પણ નિવેદન આપ્યુ હતુ કે જો જરૂર પડી તો તે રામ મંદિર નિર્માણ અંગે ફરીથી આંદોલન કરવામાં તે બિલકુલ ખચકાશે નહિ. મૌર્યએ કહ્યુ કે મે પહેલા પણ સ્પષ્ટપણે કહ્યુ છે કે આ સમગ્ર વિવાદ પર સુપ્રીમ કોર્ટનો વિશેષાધિકાર હોઈ શકે છે પરંતુ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જરૂર થશે. તેમણે કહ્યુ કે અયોધ્યામાં મુઘલ શાસક બાબરના નામનો એક પણ પત્થર લગાવી શકાશે નહિ.

રામની મૂર્તિ અને મંદિર અલગ મુદ્દો
ઉલ્લેખનીય છે કે 16મી સદીમાં બનેલી બાબર મસ્જિદને ડિસેમ્બર 1992માં ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. ઉપમુખ્યમંત્રીએ કહ્યુ કે લાંબા ચાલી રહેલ આ મામલે ના તો યાચિકાકર્તા અને ના સરકાર કંઈ કરી શકે છે. પરંતુ અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય મૂર્તિના નિર્માણને રામ મંદિર નિર્માણ સાથે ન જોડવુ જોઈએ. તેમણે કહ્યુ કે આને અયોધ્યાના વિકાસ સાથે જોડવુ જોઈએ. ભગવાન રામની મૂર્તિનું નિર્માણ અને ભગવાન રામના મંદિરનું નિર્માણ બે અલગ અલગ વસ્તુઓ છે.

વિકાસ કરીશુ
મૌર્યએ કહ્યુ કે મને લાગે છે કે અયોધ્યાનો વિકાસ થવો જોઈએ અને દરેક ભક્તની પણ એ જ ઈચ્છા છે. છેલ્લા 15 વર્ષોમાં અહીં કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં આવ્યો નથી. પરંતુ અમારી સરકાર બની ત્યારથી અહીં વિકાસ શરૂ થયો છે. લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને અયોધ્યાનો વિકાસ કરવામાં આવશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
