ઇન્ડિયા ટુડે સામે ખુર્શીદ 242 કરોડનો માનહાનિનો કેસ કરશે

india-today-salman-khurshid
નવી દિલ્હી, 16 ઑક્ટોબર : કેન્દ્રીય કાયદા પ્રધાન સલમાન ખુર્શીદ જે ટ્રસ્ટમાં ચેરમેન છે તેમાં 71 લાખ રૂપિયાના ગોટાળા અંગે ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા તેના વિવિધ મીડિયા પ્રોડક્ટ્સમાં પર્દાફાશ કર્યો હતો. આ કારણે સલમાન ખુર્શીદે ઇન્ડિયા ટુડે ગ્રુપ સામે ઉત્તર પ્રદેશ, દિલ્હી, મુંબઇથી લઇને લંડન સુધી માનહાનિનો કેસ દાખલ કરવાના છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ખુર્શીદ લંડનમાં પાંચ મિલિયન પાઉન્ડ એટલે કે અંદાજે 42 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ કરશે. આ ઉપરાંત બોમ્બે હાઇ કોર્ટમાં 200 કરોડ રૂપિયાનો કેસ દાખલ કરશે. દિલ્હીમાં તેઓ 71 લાખ રૂપિયાનો અને યુપીના 17 જિલ્લાઓમાં અપરાધિક માનહાનિનો કેસ દાખલ કરશે.

આ કાર્યવાહી અંતર્ગત સલમાન ખુર્શીદના પત્ની અને ઝાકીર હુસેન ટ્રસ્ટમાં પ્રોજેક્ટ મેનેજર લુઇસ ખુર્શીદે દિલ્હીમાં એક કેસ દાખલ કર્યો છે. આગામી સમયમાં વધારે કેસ દાખલ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X