જુઠ્ઠા, ભષ્ટ્રાચારી અને ચાલબાઝ છે ખુર્શીદ: આઇએસી
યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી માટે મોતને પણ વહાલું કરનાર સલમાન ખુર્શીદે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે તેમના અંગેનો નિર્ણય તેમની પાર્ટી લેશે અને પાર્ટી કે પણ કહશે તે કરશે, પાર્ટીનો હુકમ માન્ય ગણવામાં આવશે. આ અંગે ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના કાર્યકર્તાઓએ પ્રશ્ન પૂછ્યો હતો કે તેમના દ્રારા કરવામાં આવેલા કાર્યો સાથે કોંગેસને કશું જ લેવાદેવા નથી તો પછી આ અંગે પાર્ટી શું કામ પગલાં ભરે?
આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ખુર્શીદ વાતમાં સંપૂર્ણ સત્ય નથી અને તે પોતાની વાત સ્પષ્ટ કરી શકતા નથી આથી સ્પષ્ટ થાય છે કે તે સાચા નથી. એક વ્યક્તિને મીડિયા સમક્ષ રજૂ કરીને પોતાની પ્રશંસા કરીને તે પોતાની અસલિયત છુપાવી શકે નહી. તે ખોટી વસ્તુઓ દ્રારા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. હવે સલમાન ખુર્શીદે પોતાનું પદ છોડવું પડશે કે પછી બધાની સમક્ષ પોતાને ભષ્ટ્રાચારી કહેડાવવા પડશે.
ઉલ્લેખનીય છે કે રવિવારે સલમાન ખુર્શીદે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના ટ્રસ્ટ વિશે સ્પષ્ટયા કરી છે અને કહ્યું છે કે આજતકનું સ્ટિંગ ઓપરેશન સંપૂર્ણ ખોટું છે. તેમના ટ્રસ્ટ દ્રારા 77 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં છે અને તેમને કોઇ ગોટાળા કર્યાં નથી. પરંતુ તેમની પાસે કોઇ વિકલ્પ નથી માટે તે આજતકના વિરૂદ્ધમાં કોર્ટમાં ગયા છે. સલમાન ખુર્શીદે આજતક પર 100 કરોડનો માનહાનિનો દાવો લગાવ્યો છે.