જાણો કોણ છે આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે? જેમણે સંભાળ્યુ ચીફ ઓફ સ્ટાફ કમિટિનું પદભાર
આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે (એમએમ નરવણે) એ "ચીફ ઓફ સ્ટાફ કમિટિ" ના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જેમાં દેશની ત્રણેય સેનાઓના વડા સામેલ છે. આર્મી અધિકારીઓએ બુધવારે (15 ડિસેમ્બર) આ માહિતી આપી છે. 8 ડિસેમ્બરે ભા
આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે (એમએમ નરવણે) એ "ચીફ ઓફ સ્ટાફ કમિટિ" ના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જેમાં દેશની ત્રણેય સેનાઓના વડા સામેલ છે. આર્મી અધિકારીઓએ બુધવારે (15 ડિસેમ્બર) આ માહિતી આપી છે. 8 ડિસેમ્બરે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના મૃત્યુ બાદ આ પદ ખાલી થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર જનરલ નરવણે સૌથી વરિષ્ઠ હોવાને કારણે તેમને સમિતિના અધ્યક્ષનો હવાલો આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે CDSના પદની રચના પહેલા, સામાન્ય રીતે દેશના સશસ્ત્ર દળોના સૌથી વરિષ્ઠ વડાઓને ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષનું પદ સોંપવામાં આવતું હતું.

નરવણે આઝાદી બાદ દેશના 28માં આર્મી ચીફ
લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે હાલમાં આર્મી સ્ટાફના વડા છે અને "ચીફ ઓફ સ્ટાફ કમિટિ"ના અધ્યક્ષ પણ છે. નરવણે આઝાદી બાદ દેશના 28મા આર્મી ચીફ છે. આર્મી ચીફ પહેલા લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે ફરજ બજાવતા હતા. તે પહેલા નરવણે આર્મીના ઈસ્ટર્ન કમાન્ડનું નેતૃત્વ કરી રહ્યા હતા, જે ચીન સાથેની ભારતની લગભગ 4,000 કિમીની સરહદનું ધ્યાન રાખે છે.

એમએમ નરવણે ઘણા મોટા મિશનનો હિસ્સો રહ્યાં
એમએમ નરવને તેમની 39 વર્ષની સેવામાં જમ્મુ અને કાશ્મીર અને પૂર્વોત્તરમાં શાંતિ જાળવણી, પ્રદેશ અને અત્યંત સક્રિય આતંકવાદ વિરોધી વાતાવરણમાં અનેક કમાન્ડ અને સ્ટાફની નિમણૂંકોમાં સેવા આપી છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઈફલ્સ બટાલિયન અને પૂર્વી મોરચા પર પાયદળ બ્રિગેડની કમાન્ડ પણ કરી છે. તેઓ શ્રીલંકામાં ભારતીય પીસ કીપિંગ ફોર્સનો પણ ભાગ હતા અને મ્યાનમારમાં ભારતીય દૂતાવાસમાં ત્રણ વર્ષ સુધી ભારતના સંરક્ષણ એટેચ તરીકે સેવા આપી હતી.

જનરલ નરવણે NDA અને IMAના ભૂતપૂર્વ વિદ્યાર્થી
લેફ્ટનન્ટ જનરલ નરવણે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) અને ઈન્ડિયન મિલિટરી એકેડમી (IMA)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. જનરલ નરવણેને જૂન 1980માં શીખ લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની 7મી બટાલિયનમાં કમિશન આપવામાં આવ્યું હતું. જનરલ એક આદરણીય અધિકારી છે જેમને જમ્મુ અને કાશ્મીરમાં તેમની બટાલિયનને અસરકારક રીતે કમાન્ડ કરવા બદલ 'સેના મેડલ' (પ્રતિષ્ઠિત) એનાયત કરવામાં આવ્યો છે.
જનરલ નરવણેને નાગાલેન્ડમાં ઈન્સ્પેક્ટર જનરલ આસામ રાઈફલ્સ (ઉત્તર) તરીકેની તેમની સેવાઓ બદલ 'વિશિષ્ટ સેવા મેડલ' અને પ્રતિષ્ઠિત સ્ટ્રાઈક કોર્પ્સને કમાન્ડ કરવા માટે 'અતિ વિશિષ્ટ સેવા મેડલ' પણ મળ્યો છે.

CDSની રેસમાં જનરલ નરવણેનું નામ આગળ
ભૂતપૂર્વ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના અવસાન પછી, સરકાર આગામી સીડીએસની નિમણૂકની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાનું વિચારી રહી છે. આ રેસમાં આર્મી ચીફ જનરલ નરવણેનું નામ સૌથી આગળ છે. કેટલાક નિવૃત્ત લશ્કરી કમાન્ડરોએ કહ્યું છે કે જનરલ નરવણેને સીડીએસના પદ પર નિમણૂક કરવી એ સમજદારીભર્યું પગલું હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
