મોદીની લોકપ્રિયતાથી ભયભીત નીતિશે લીધો રાષ્ટ્રપતિનો સહારો!
પટણા, 7 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીની બિહાર પ્રદેશ સમિતિએ આરોપ લગાવ્યો છે કે પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી ભયભીત થઇને નીતિશ કુમારે 27 ઓક્ટોબરના રોજ આયોજિત ભાજપાની હુંકાર રેલીમાં અડચણ ઉભી કરવા માગે છે. આજ દિવસે નીતિશ કુમારે રાષ્ટ્રપતિને બિહારમાં આમંત્રિત કર્યા છે.
ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને વિધાન પાર્ષદ મંગલ પાંડેયે આજે જણાવ્યું કે તેમની પાર્ટી તરફથી 27 ઓક્ટોબરના રોજ પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજીત થનાર હુંકાર રેલીમાં નરેન્દ્ર મોદીને લઇને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે માટે બિહાર સરકારે જાણીજોઇને 26-27 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિનો કાર્યક્રમ ગોઠવી દીધો.
ભાજપાના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે આ આશ્ચર્યનો વિષય છે કે પટણામાં જે દિવસે પાંચથી સાત લાખ લોકો જમા થશે એ સમયમાં રાષ્ટ્રપતિનો કાર્યક્રમ પટણાના રવિન્દ્ર ભવનમાં નિર્ધારિત કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે રવિન્દ્ર ભવનની નજીક બધી જ રાજનૈતિક ગતિવિધિઓનું સંચાલન થાય છે અને ત્યાં વિધાયકોનું નિવાસસ્થાન પણ છે જ્યાં રેલીમાં આવેલ લોકો જમા થશે. વિધિ વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ એ યોગ્ય નથી. તેમણે રાષ્ટ્રપતિને કાર્યક્રમની તિથિ પર વિચાર કરવાનો આગ્રહ કર્યો છે.