નોકરીના બદલામાં જમીન કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવ અદાલતમાં થઇ શકે છે હાજર
રેલવેમાં નોકરીના બદલામાં જમીન મામલે આજે દિલ્હી કોર્ટમાં લાલુ પ્રસાદ યાદવ સહિતના આરોપી હાજર થશે.
Land for Job: આ મામલે કોર્ટમાં 27 ફેબ્રુઆરીના રોજ લાલુ પ્રસાદ યાદવની દિકરી મીસા ભારતી સમહિત તમામ આરોપીઓને સમન પાઠવામાં આવ્યુ હતુ .અને તેમને 15 માર્ચના રોજ અદાલતમાં હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

નોકરીના બદલમાં જમીન ગોટાળા મામલે મોટી ખબર સામેમ આવી રહી છે. રિપોર્ટ અનુસાર આ મામલમાં પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ બિહાર પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને 14 અ્ય લોકોને આજે દિલ્હીની અદાલતમાં હાજર થઇ શકે છે. જણાવી દઇએ કે, આ મામલો લાલુ્ પ્રસાદ યાદવના વર્ષ 2004 થી 2009 વચ્ચે રેલ્વે મંત્રી રહેવા દરમિયાન તેમના પરિવારને જમીન ઉપહાર તરીકે આપવામા આવી હતી. કે વેચવામાં આવી જમીનના બદલામાં રેલવેમાં કરવામાં આવેલ નિયુક્તી સાથે જોડાયેલો છે.
સીબીઆઇએ આ લગાવ્યા છે આરોપ
સીબીઆઇએ પોતાના આરોપ પત્રમાં એ આરોપ લગાવ્યો છે કે, ભરતી માટે ભારતીય રેલવેના નક્કી માંપદંડો અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરતા રેલવે માં ઘણી નિયુક્તી કરવામાં આવી હતી. એ પણ આરોપ લગાવામા આવ્યો છે કે, નોકરીના બદલામાં ઉમેદવારોએ સિધી રીતે કે પોતાના પરિવારના સભ્યોના માધ્યથી રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ અને તત્કાલિન રેલ મંત્રી લાલૂ પ્રસાદ યાદવના પરીવાર બજાર ભાવથી ઘણા નીચી કિમતે જમીન વેચી હતી કે, ઉપહારમાં આપી હતી.
સીબીઆઇએ અદાલતમાં 15 ના રોજ હાજર થવાની આપ્યો હતો નિર્દેશ
આ મામલે વિશેષ ન્યાયાધીશ ગીતાંજલી ગોયલે 27 ફેબ્રુઆરીના રોજ લાલુ પ્રસાદ યાદવની દિકરી મીસા ભારતી સહિત તમામ આરોપીઓને સમન જારી કર્યુ હતુ. અને 15 માર્ચના રોજ અદાલતમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. એવામા માનવામાં આવી રહ્યુ છે કે, આ તમામ લોકો કોર્ટમાં હાજર થઇ શકે છે.












Click it and Unblock the Notifications
