'અડવાણીની ધરપકડ કરવાને લઇને અવઢવમાં હતા લાલુ'

રંજને કહ્યું કે 23 ઓક્ટોબરની રાત્રે 1.30 કલાકે તેમની પાસે આવેલા અને અને જણાવ્યું કે તત્કાલીન પ્રધાનમંત્રી વી પી સિંહ અને શરદ યાદવ તેમની પર અડવાણીને લઇને બિહારમાં ધરપકડ કરવા માટે દબાણ બનાવી રહ્યા છે જેના માટે અમે તેમને કહ્યું કે જો એવું નહીં કરીએ તો તેમની સરકાર પાડી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે તેમના આવા નિવેદનથી લાલુએ અડવાણીની ધરપકડ કરવાનો નિર્ણય કર્યો.
ક્યારેક લાલુના ખાસ માનવામાં આવતા અને ગઇ લોકસભા ચૂંટણીમાં જેડીયૂના ઉમેદવાર તરીકે પાટલીપૂત્ર સંસદીય બેઠકથી તેમને પરાજિત કરનાર રંજન યાદવે જણાવ્યું કે શરદ યાદવ અડવાણીની ધરપકડ થવા સુધી લાલુના સંપર્કમાં રહે.
રંજને આરોપ લગાવ્યો કે લાલુ તુચ્છ રાજનૈતિક લાભ ખાટવા અને મુસ્લીમ સમુદાયની સિમ્પથી મેળવવા માટે અડવાણીના રથને રોકવા અને તેમની ધરપકડ કરવાને લઇને અવઢવમાં હતા કારણ કે જે રાત્રે અડવાણીની ધરપકડ કરવામાં આવી ત્યારે લાલુ તેમની સાથે હતાં.












Click it and Unblock the Notifications
