For Quick Alerts
For Daily Alerts
ભારે વરસાદ વચ્ચે અસમમાં ભુસ્ખલન, 7 લોકોના મોત
આસામમાં એક દુખદ અકસ્માત થયો છે. અહીંના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે 7 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકો દક્ષિણ આસામના ત્રણ જુદા જુદા જિલ્લાના ત્રણ જુદા જુદા પરિવારોના છે. મળતી માહિતી મુજબ ભૂસ્ખલનની ઘટ
આસામમાં એક દુખદ અકસ્માત થયો છે. અહીંના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે 7 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકો દક્ષિણ આસામના ત્રણ જુદા જુદા જિલ્લાના ત્રણ જુદા જુદા પરિવારોના છે. મળતી માહિતી મુજબ ભૂસ્ખલનની ઘટના કરીમગંજ, સિલચર અને હિલાકંડીમાં બની છે. મૃત્યુ પામેલા લોકોમાં બાળકો પણ છે.
મીડિયા અહેવાલો અનુસાર, 50 થી વધુ લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. હાલ ઘટના સ્થળે બચાવ ટીમો રવાના કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી આસામના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. 21 જિલ્લાના કુલ 9 લાખ લોકો આનાથી અસરગ્રસ્ત છે. રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ છે. રસ્તાઓ બંધ હોવાને કારણે અનેક જગ્યાએ સંપર્ક નથી. વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે.
આ પણ વાંચો: અમેરિકામાં બબાલ યથાવત, ટ્રમ્પે મિલિટ્રી તહેનાત કરવાની ધમકી આપી
Comments
English summary
Landslide kills 7 in Assam amid heavy rains
Story first published: Tuesday, June 2, 2020, 14:18 [IST]