અમેરિકામાં બબાલ યથાવત, ટ્રમ્પે મિલિટ્રી તહેનાત કરવાની ધમકી આપી
અમેરિકામાં બબાલ યથાવત, ટ્રમ્પે મિલિટ્રી તહેનાત કરવાની ધમકી આપી
વૉશિંગ્ટનઃ અમેરિકામાં મોટા પાયે આફ્રિકિ-અમેરિકી મૂળના 45 વર્ષના વ્યક્તિ જ્યોર્જ ફ્લૉયડના મોતના વિરોધમાં પ્રદર્શ કરી રહ્યા છે. આ પ્રદર્શનો વચ્ચે જ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો રાજ્ય અને શહેર પ્રદર્શનકારીઓને કાબૂ નહિ કરી શકે તો તેઓ મિલેટ્રી તહેનાતીનો આદેશ આપી શકે છે. 25 મેના રોજ પોલીસની કસ્ટડીમાં જ્યોર્ડનું મોત થયું હતું જે બાદથી જ દેશના કેટલાય ભાગોમાં પ્રદર્શનનો સિલસિલો શરૂ થઈ ગયો. કેટલાક પ્રદર્શનકારીઓ તો પ્રેસિડેન્ટના સત્તાવાર નિવાસ વ્હાઈટ સુધી પહોંચી ગયા.

વિદ્રોહ અધિનિયમ પર વિચાર કરી રહ્યા છે ટ્રમ્પ
અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુ કે હું તમામ પ્રસાસનિક અને સ્થાનિક મંત્ર, અસૈન્ય અને સૈન્યને મકલી રહ્યો છું જેથી કાનૂન માનતા અમેરિકી નાગરિકોના અધિકારની રક્ષા થઈ શકે. જે બાદ તેમણે કહ્યું કે, હું આજે દરેક ગવર્નરને આ સલાહ આપું છું કે તે જરૂરી સંખ્યામાં નેશનલ ગાર્ડની તહેનાતી કરે જેથી સ્થિતિને કાબૂમાં લઈ શકાય. મેયરો અને ગવર્નરોએ જ્યાં સુધી હિંસા શાંત ના થાય ત્યાં સુધી ભારે સંખ્યા નક્કી કરવાની રહેશે.
જો કોઈ રાજ્યએ જરૂરી કાર્યવાહી કરવાની ના પાડી દીધો તો અમેરિકી મિલિટ્રી તહેનાત કરી દેવામા આવશે જેથી સમસ્યાને જલદી જ ઉકેલી શકાય. જો કે ટ્રમ્પ વિદ્રોહ અધિનિયમ 1807ને લાગૂ કરવાથી અટકી ગયા. આ કાનૂન અંતર્ગત ટ્રમ્પને યૂએસ ટ્રૂપ્સને તરત તહેનાત કરવામાં મદદ મળશે. અમેરિકી રક્ષા મંત્રાલયે કહ્યું કે, હાલ રાષ્ટ્રપતિએ આ કાનૂન લાગૂ નથી કર્યો.
માત્ર 20 ડૉલર માટે જ્યોર્જનો જીવ ચાલ્યો ગયો
મિનેસોટામાં અશ્વેત જ્યોર્જ ફ્લૉયડને પોલીસે માત્ર 20 ડૉલરની ફેક નોટ ચલાવવાના આરોપમાં પકડી લીધો હતો. એક પોલીસ ઑફિસરે તેને જમીન પર પટકાવી તેની ગરદનને પગથી ત્યાં સુધી દબોચી રાખી જ્યાં સુધી તેનું મોત ના થઈ ગયું. ઘટના બાદથી જ અમેરિકામાં ભારે ગુસ્સો છે. માત્ર અશ્વેત સમુદાયના લોકો જ નહિ બલકે શ્વેત પણ આ ઘટનાને લઈ રસ્તા પર ઉતરી આવ્યા છે.
અમેરિકાના રસ્તાઓ પર હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે. વ્હાઈટ હાઉસની બહાર પણ પ્રદર્શકારીઓએ સોમવારે પ્રદર્શન કર્યું. આ પ્રદર્શને રકવા માટે પોલીસે ટિયર ગેસના સેલ દાગ્યા હતા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
