પીએમ મોદીને જાનથી મારવાની ધમકી, છાતીમાં મારીશું ગોળી
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પ્રચંડ જીત મેળવ્યા પછી પ્રધાનમંત્રીએ પોતાની લોકપ્રિયતાનું પ્રમાણ આપી દીધું છે.
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પ્રચંડ જીત મેળવ્યા પછી પ્રધાનમંત્રીએ પોતાની લોકપ્રિયતાનું પ્રમાણ આપી દીધું છે. મોદી લહેરના દમ પર ભાજપે શાનદાર જીત મેળવી પરંતુ આ જીત પછી પીએમ મોદી પર સંકટ વધી ગયું છે. પીએમ મોદીને જાનથી મારવાની ધમકી મળી છે. રાજસ્થાનના ભાજપા પ્રદેશાધ્યક્ષ મદનલાલ સૈનીએ રવિવારે પીએમ મોદીને જાનથી મારવાની ધમકી સાથે જોડાયેલો મોટો ખુલાસો કર્યો છે.
પીએમ મોદીને જાનથી મારવાની ધમકી મળી
મદનલાલ સૈની અનુસાર તેમને ધમકી ભરેલો પત્ર મળ્યો છે. આ પત્રમાં પીએમ મોદીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ભરેલો પત્ર પીએમ મોદીના શપથગ્રહણ સમારોહ પહેલા પ્રદેશ ભાજપના મુખ્યાલય પાસે મળ્યો, જેમાં મોદીજી પર હુમલાની વાત કરવામાં આવી છે.
રાજસ્થાન ભાજપને ધમકી ભરેલો પત્ર મળ્યો
મદનલાલ સૈની ઘ્વારા જણાવવામાં આવ્યું કે ધમકી ભરેલી આ ચિઠ્ઠી ટપાલ ઘ્વારા અહીં પહોંચી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહ દરમિયાન તેમની છાતીમાં ગોળી મારવામાં આવશે.
4 લોકોની પૂછપરછ
ભાજપા પ્રદેશ અધ્યક્ષ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પત્ર મળતા જ તેમને પોલીસને સૂચના આપી હતી. પોલીસે મામલો ગંભીરતાથી લેતા આ પત્રની તપાસ શરુ કરી. પત્ર પર મોકલનારનું એડ્રેસ પણ લખ્યું હતું, જેને આધારે 4 લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. પોલીસ અનુસરે ચારે લોકોએ મસ્તી કરવા માટે પત્ર મોકલ્યો હતો.