'દિલ્લીની યોગશાળા' કાર્યક્રમ પર આપ સરકાર અને LG વચ્ચે વિવાદ, ન મળી મંજૂરી
દિલ્લીની આપ સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર (LG) વચ્ચે વિવાદના સમાચાર સામે આવ્યા છે.
દિલ્લીની આપ સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર (LG) વચ્ચે વિવાદના સમાચાર સામે આવ્યા છે. આ વખતે 'દિલ્લી કી યોગશાલા' કાર્યક્રમને લઈને બંને વચ્ચે તકરાર છે. અહેવાલો મુજબ દિલ્લી સરકારના 'યોગશાળા' કાર્યક્રમને એલજી વિનય કુમાર સક્સેના દ્વારા હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. માટે આ કાર્યક્રમ મંગળવારથી બંધ થઈ જશે. જો કે, એલજી ઑફિસના સૂત્રોએ જણાવ્યુ હતુ કે કાર્યક્રમ ચાલુ રાખવા અંગે કોઈ ફાઇલ મળી નથી.

સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યુ કે દિલ્લીના એલજી વીકે સક્સેનાએ કેજરીવાલ સરકારના 'દિલ્લી કી યોગશાલા' કાર્યક્રમને 31 ઓક્ટોબર પછી પણ ચાલુ રાખવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. એલજી સચિવાલયના સૂત્રોએ જણાવ્યુ હતુ કે યોગ કાર્યક્રમને 31 ઓક્ટોબરથી આગળ વધારવાની પરવાનગી માગતી કોઈ ફાઇલ હજુ સુધી LG ઑફિસને મળી નથી. તેથી એ કહેવુ ખોટુ છે કે LGએ કાર્યક્રમને લંબાવવાની મંજૂરી આપી નથી. જેના કારણે તેને બંધ રાખવામાં આવી રહ્યુ છે.
Sources in the LG Secretariat said that LG office has not yet received any file seeking permission for extension of the yoga program beyond October 31 so it is wrong to state that the LG has not approved the extension of the program due to which it is being discontinued. https://t.co/IVLncMtziX
— ANI (@ANI) October 31, 2022
આ પહેલા દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યુ હતુ કે યુનિવર્સિટીનુ બોર્ડ દિલ્લીના સામાન્ય લોકો માટે યોગશાળા ઈચ્છે છે, સરકારે બજેટ પણ આપી દીધુ છે પરંતુ તેમ છતાં અધિકારીઓને ડરાવીને 'દિલ્લી કી યોગશાલા' બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. .હાલમાં, દિલ્લીના ઉદ્યાનોમાં 590 યોગ વર્ગો આવતીકાલથી બંધ થઈ જશે.












Click it and Unblock the Notifications
