પાસવાનની મોદીને ચિઠ્ઠી- દલિતોમાં ગુસ્સો, એનજીટી ચેરમેનપદેથી જસ્ટીસ ગોયલને હટાવો
લોક જનશક્તિ પાર્ટીના સાંસદ ચિરાગ પાસવાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને જસ્ટીસ એ કે ગોયલને એનજીટીના ચેરમેનપદેથી બરખાસ્ત કરવાની માંગ કરી છે.
લોક જનશક્તિ પાર્ટીના સાંસદ ચિરાગ પાસવાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને જસ્ટીસ એ કે ગોયલને એનજીટીના ચેરમેનપદેથી બરખાસ્ત કરવાની માંગ કરી છે. જસ્ટીસ ગોયલે એસસી-એસટી એક્ટ અંગે ચૂકાદો આપ્યો હતો. આમાં તેમણે તપાસ પહેલા આ એક્ટ હેઠળ ધરપકડ પર રોક લગાવી દીધી હતી. આ ચૂકાદા અંગે દલિતોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને 2 એપ્રિલે ભારત બંધનું એલાન આપ્યુ હતુ. ચિરાગ પાસવાને પોતાની ચિઠ્ઠીમાં કહ્યુ છે કે દલિતોમાં ગોયલને એનજીટીના ચેરમેન બનાવવા માટે ગુસ્સો છે અને આ અંગે 9 ઓગસ્ટે થનારા દલિતોનું વિરોધ પ્રદર્શન 2 એપ્રિલથી પણ વધુ આક્રમક હશે.

સરકારના સહયોગી દળ લોજપાના સાંસદ ચિરાગ પાસવાને અનુસૂચિત જાતિ અને જનજાતિના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહ્યુ છે કે 20 માર્ચના રોજ સુપ્રિમ કોર્ટના જજ એકે ગોયલે એસસી-એસટી અધિનિયમ પર ચૂકાદો સંભળાવ્યો જે અંગે અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયમાં અસંતોષ અને આક્રોશ છે. એક વાર ફરીથી અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગે ભારત બંધનું આહવાન કર્યુ છે જેના કારણે સરકારે આનૈ પર ધ્યાન આપવાની જરૂરત છે.
જસ્ટીસ ગોયલની નિયુક્તિ અંગે ચિરાગ પાસવાનના પિતા કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન પણ સવાલ ઉઠાવી ચૂક્યા છે. રામવિલાસ પાસવાને કહ્યુ છે કે ગોયલની નિયુક્તિ કરવાથી સમાજમાં ખોટો સંદેશ ગયો છે અને આ અંગે દલિત સાંસદોએ ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રિમ કોર્ટની એકે ગોયલ અને યુયુ લલિતની ખંડપીઠે ચૂકાદો આપ્યો હતો કે એસસી-એસટી એક્ટ હેઠળ કથિત ઉત્પીડનની ફરિયાદ અંગે ત્વરિત ધરપકડ નહિ થાય અને પ્રારંભિક તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. એકે ગોયલ 6 જુલાઈના રોજ સુપ્રિમ કોર્ટમાંથી રિટાયર થયા હતા અને સરકારે તે જ દિવસે તેમને એનજીટીના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા હતા.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી





Click it and Unblock the Notifications
