અડવાણીએ RSSના નેતાઓ સાથે કરી મુલાકાત
નાગપુર, 5 જુલાઇ: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી દિલ્હીથી સવારે અહી પહોંચ્યા હતા અને આરએસએસ મુખ્યાલય ગયા હતા જ્યાં તેમને સંઘના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. લાલકૃષ્ણ અડવાણીની મુલાકાત એ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે પાર્ટીની સંસદીય બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ભાગ લીધા બાદ તેમને આરએસએસ નેતૃત્વની મુલાકાત કરી હતી.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને મહાસચિવ ભૈયાજી જોશી સાથે લાલકૃષ્ણ અડવાણી સાથે બેઠક કરી હતી. ભાજપાના ટોચના નેતાઓ આરએસએસના નેતાઓ સાથે મુલાકાતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો.
પાર્ટીના પૂર્વ અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ ગઇકાલે મોહન ભાગવત અને ભૈયાજી જોશી સાથે મુલાકાત કરી હતી જ્યારે ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહ સંઘ નેતાઓ સાથે શનિવારે મુલાકાત કરશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણી દિલ્હીથી વિમાન મારફતે તે પહોંચ્યા હતા.
ભાજપાના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરી પણ તેમની સાથે છે અને તે 11 જૂલાઇના રોજ પરત ફરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજનાથ સિંહ શનિવારે સવારે પહોંચશે ફરી કોલકત્તા જશે.