આંધ્રપ્રદેશના સ્થાનીય પત્રકારની સનસનીખેજ હત્યા, તપાસના આદેશ
આંધ્રપ્રદેશમાં એક સ્થાનિક પત્રકારની સનસનાટીભર્યા હત્યાનો મામલો સામે આવ્યો છે.
આંધ્રપ્રદેશમાં એક સ્થાનિક પત્રકારની સનસનાટીભર્યા હત્યાનો મામલો સામે આવ્યો છે. પૂર્વ ગોદાવરી જિલ્લાના તુની મંડિલના એસ અન્નાવરમ ગામમાં મંગળવારે અજાણ્યા લોકોએ પત્રકાર સત્ય નારાયણની હત્યા કરી હતી. આ ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ ડીજીપીને આ મામલે કાર્યવાહી કરવા અને આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવા આદેશ આપ્યો છે.
આ અંગેની માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે પત્રકાર આંધ્ર જ્યોતિ નામના અખબારમાં કામ કરતો હતો, તેનું નામ સત્યનારાયણ હતું. હુમલા બાદ પત્રકારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો સ્થળ પરથી નાસી ગયા હતા. આ ઘટના આંધ્રપ્રદેશના અન્નવરમ ગામની છે. આ ઘટના અંગેની સત્તાવાર રજૂઆત કરીને એમ કહેવામાં આવ્યું છે કે પોલીસ મહાનિર્દેશક ગૌતમ સવાંગે નિર્દેશ આપ્યો છે કે ઘટનાની વહેલી તકે તપાસ થવી જોઇએ. ગૌતમ સવાંગે જિલ્લા પોલીસ અધિક્ષક અદનાન નૈમ અસમીને એક નિર્દેશ જારી કરીને સ્થળ પર જઇને તથ્યો શોધવા જણાવ્યું છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં RSS કાર્યકર્તા સહીત ગર્ભવતી પત્ની અને દીકરાની હત્યા