Lockdown 4.0: હવાઈ યાત્રા-મેટ્રો સેવા સહિત આ ચીજોમાં છૂટ મળી શકે
Lockdown 4.0: હવાઈ યાત્રા-મેટ્રો સેવા સહિત આ ચીજોમાં છૂટ મળી શકે
કોરોના વાયરસ પર નિયંત્રણને ધ્યાનમાં રાખઈ દેશભરમાં ચાલી રહેલ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનનો કાલે ચોથો તબક્કો શરૂ થશે. સૂત્રોએ સંકેત આપ્યા છે કે આ તબક્કામાં પહેલાની સરખામણીએ વધુ છૂટ આપવામા આવી શકે છે અને ખાસ કરીને સાર્વજનિક પરિવહનના મામલે. પાછલા અઠવાડિયે સરકારે સીમિત રેલ સેવા લાગૂ કરી તેના થોડા ઘણા સંકેત આપ્યા છે. ઉમ્મીદ કરાઈ રહી છે કે હવે વિમાન ક્ષેત્ર અને સડક પરિવહન સહિત મેટ્રો સેવાઓને લઈ કેટલીક રાહત મળી શકે છે.
લૉકડાઉનના ચોથા તબક્કા સંબધિત દિશા-નિર્દેશોની ઘોષણા આજે સાંજે થશે. માનવામાં આવી રહ્યું છે કે લૉકડાઉનનો આ તબક્કો 31 મે સુધી ચાલશે. પીએમ નરેન્દ્ર મોદીએ પાછલા અઠવાડિયે લૉકડાઉન વધારવાની ઘોષણા કરતા કહ્યું હતું કે આ તબક્કો નવા નિયમો સાથે બલકુલ અલગ પ્રકારનો હશે.
પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે લૉકડાઉનના ચોથા તબક્કા વિશે 1 મે પહેલા જાણકારી આપી દેવામાં આવશે. તેમણે કહ્યું કે લૉકડાઉનનો ચોથો તબક્કો હશે, પરંતુ આ સંપૂર્ણપણે નવા રંગ રૂપ વાળો હશે. આના માટે નવા નિયમ નક્કી કરવામાં આવશે જેથી બાકી કામો સાથે સામંજસ્ય બેસાડતા લોકો બે મીટરની દૂરીનું પણ પાલન કરે.
6 જૂનથી ફરી શરૂ થઈ જશે ક્રિકેટ, નવા નિયમો સાથે ઉતરશે ટીમ