Arvind Kejriwal: આજથી ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે અરવિંદ કેજરીવાલ, કરશે રોડ શો
Arvind Kejriwal, Lok sabha Election: જેલમાંથી બહાર આવતાની સાથે જ AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંક્યા છે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, મને ચૂંટણીમાં પ્રચાર કરવાની તક મળી. હું દેશના કરોડો લોકોનો આભાર માનું છું.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આપણો દેશ ચાર હજાર વર્ષ જૂનો છે, પરંતુ સરમુખત્યારશાહીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. આપણો દેશ મહાન દેશ છે, પરંતુ જ્યારે પણ કોઈએ આ દેશ પર સરમુખત્યારશાહી લાદવાનો પ્રયાસ કર્યો, ત્યારે લોકોએ તેને ક્યારેય સહન કર્યું નહીં.
હું તેની સામે મારા દિલ, દિમાગ અને આત્માથી લડી રહ્યો છું. દેશના 140 કરોડ લોકોએ સાથે મળીને આ તાનાશાહીને હરાવવાની છે.
દક્ષિણ દિલ્હીમાં રોડ શો કરશે - દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, શનિવારના રોજ દક્ષિણ દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો રોડ શો છે. હું એ રોડ શોમાં ભાગ લઈશ. મારી સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે.
#WATCH | Delhi CM Arvind Kejriwal reaches his residence after he was released from Delhi's Tihar Jail
— ANI (@ANI) May 10, 2024
He says, "Our country is more than 4,000 years old. But whenever anyone tried to impose dictatorship on this country, people never tolerated it. Today the country is passing… pic.twitter.com/kuDfzRtqG5












Click it and Unblock the Notifications
