Lok Sabha Election 2024: UPમાં થશે બિહારવાળી, માયાવતી બગાડશે અખિલેશનો ખેલ, જાણો ગણતરી
Lok Sabha Election 2024: બિહારમાં જે કામ ચિરાગ પાસવાને નીતીશ કુમાર સાથે કર્યું, તે કામ માયાવતી યુપીમાં અખિલેશ યાદવ સાથે કરવા જઈ રહ્યા છે. હા, લોકસભા ચૂંટણીના કેટલાક ઉમેદવારોના નામ જોયા પછી આવું જ જણાય છે.
ઉલ્લેખનીય છે કે, બસપા એકલા હાથે લોકસભા ચૂંટણી લડી રહી છે અને પશ્ચિમ યુપીની કેટલીક સીટો પરથી જે નામ સામે આવ્યા છે, તે સપા માટે માથાનો દુખાવો બની રહ્યા છે. બસપાએ સહારનપુર, અમરોહા અને મુરાદાબાદથી મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે.
ઔપચારિક જાહેરાત 15 માર્ચ પછી કરવામાં આવશે, પરંતુ પાર્ટીએ તેના કાર્યકર્તાઓને કહ્યું છે કે, મુરાદાબાદથી ઈરફાન સૈફી, અમરોહાથી મુજાહિદ હુસૈન અને સહારનપુરના માજિદ અલી હાથી પર સવારી કરશે.

અખિલેશ યાદવ યુપીમાં કોંગ્રેસ કરતા વધુ સીટો પર લડી રહ્યા છે. તેમણે પીડીએ ફોર્મ્યુલાને ઘણો વધાર્યો છે, જેમાં એ લઘુમતીઓ માટે વપરાય છે. હવે જો બસપા તેમની વોટબેંકમાં ખાડો પાડે છે, તો તેનો સીધો ફાયદો ભાજપને થશે.
મુરાદાબાદમાં એસપી બેચેન - સૈફી એક OBC મુસ્લિમ છે, અને હાલમાં મુરાદાબાદ જિલ્લામાં ઠાકુરદ્વારા નગરપાલિકાના અધ્યક્ષ છે. બસપાએ 2019માં અહીં ચૂંટણી લડી ન હતી. આ સીટ એસપી ગઠબંધનમાં હતી, અને તેના નેતા એસટી હસને જંગી જીત મેળવી હતી. આ વખતે કોંગ્રેસ અને સપા વચ્ચે ગઠબંધન છે, અને અખિલેશ યાદવે મુરાદાબાદ બેઠક રાખી છે.
અમરોહામાં કોંગ્રેસને નુકસાન? - બસપાએ અહીંથી મુજાહિદ હુસૈનને મેદાનમાં ઉતાર્યા છે. તેમને મુસ્લિમોમાં ઉચ્ચ જાતિના માનવામાં આવે છે. તે એક બિઝનેસમેન છે. તેમની પત્ની ગાઝિયાબાદ જિલ્લાની ડાસના નગર પંચાયતની અધ્યક્ષ છે. કોંગ્રેસ અહીંથી પોતાનો ઉમેદવાર ઉતારશે.
ગત વખતે બસપાના સાંસદ દાનિશ અલી જીત્યા હતા, પરંતુ તેમને પક્ષ વિરોધી ગતિવિધિઓના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાલમાં જ તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ન્યાય યાત્રામાં પણ જોવા મળ્યા હતા. એવી અટકળો છે કે, તેઓ કોંગ્રેસના ઉમેદવાર હોઈ શકે છે.
સહારનપુરમાં બસપા કોનો ટેકો છીનવશે? - માજિદ અલી નામ અહીંથી આવે છે. તેઓ ઓબીસી મુસ્લિમ અને પૂર્વ જિલ્લા પરિષદ અધ્યક્ષ છે. ગત ચૂંટણીમાં બસપાના હાજી ફઝલુર રહેમાન જીત્યા હતા.
અત્રે નોંધનીય છે કે, ત્રણેય બેઠકો પર મુસ્લિમ અને દલિતોની નોંધપાત્ર વસ્તી છે. આ કારણથી ગત વખતે સપા-બસપા ગઠબંધનથી ફાયદો થયો હતો. આ વખતે સપા અને કોંગ્રેસ એકસાથે આવ્યા છે, અને તેઓને આશા છે કે, મુસ્લિમો તેમને મત આપશે, પરંતુ BSPએ મજબૂત મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારીને ખળભળાટ મચાવ્યો છે. નોંધનીય બાબત છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ તમામ બેઠકો જીતી હતી. તે સમયે બસપા એકલા હાથે ચૂંટણી લડી રહી હતી.
બસપાના એક નેતાએ જણાવ્યું હતું કે, પાર્ટીના નિયમો મુજબ આ ઉમેદવારોને સંબંધિત લોકસભા સીટોનાપ્રભારી જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી જાહેર થયા બાદ આ અમારા સત્તાવાર ઉમેદવારો હશે. તેઓને તેમના ચૂંટણી કાર્યાલયો ખોલવા અને જમીન પર તૈયારીઓ શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.
કન્નૌજમાં અખિલેશ શું કરશે? - માયાવતીએ કન્નૌજમાં સપાને ઘેરવાની રણનીતિ પણ બનાવી છે. તેમણે અહીંથી પૂર્વ સપા નેતા અકીલ અહેમદને ટિકિટ આપી છે. જેના કારણે સપાને સીધુ અને મોટું નુકસાન થઈ શકે છે, અને ભાજપને ફાયદો થશે. કન્નૌજથી સપા પ્રમુખની ચૂંટણીની અટકળો ચાલી રહી હતી.
કન્નૌજ સીટ લગભગ બે દાયકા સુધી સપાનો ગઢ માનવામાં આવતી હતી. અખિલેશ અને ડિમ્પલ યાદવ અહીંથી જીતી રહ્યા છે. ભાજપે અહીંથી સુબ્રત પાઠકને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ બસપાના મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારીને ચૂંટણીને જટિલ બનાવી દીધી છે.
માયાવતી પીલીભીતમાં પણ ખેલ બગાડશે! - પીલીભીતથી બીએસપીએ પૂર્વ મંત્રી અનીસ અહેમદ ખાન ફૂલ બાબુને ટિકિટ આપી છે. આ રીતે જોવામાં આવે તો, અખિલેશ યાદવ સામે મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારવાની માયાવતીની વ્યૂહરચના ન તો જીતશે, ન જીતવા દેશે એવી માનવામાં આવી રહી છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં માયાવતી ચિરાગ પાસવાનની ભૂમિકા ભજવી રહી છે કે, કેમ તેની રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. અખિલેશ યાદવ વિચારતા જ હશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
