Lok Sabha Election 2024: PM મોદીએ કર્યા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર, કહ્યું - 4 જૂને...
Lok Sabha Election 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ તેલંગાણામાં જણાવ્યું હતું કે, મારા માટે દરેક માતા શક્તિનું સ્વરૂપ છે, દરેક પુત્રી શક્તિનું સ્વરૂપ છે. હું શક્તિના રૂપમાં તેમની પૂજા કરું છું અને શક્તિના મૂર્ત સ્વરૂપ એવા આ માતા-બહેનોની રક્ષા માટે હું મારો જીવ જોખમમાં મૂકીશ. મારા માટે સન્માનની વાત છે કે, નારી શક્તિ મને આશીર્વાદ આપવા અને સમર્થન આપવા અહીં આવી છે.
PM મોદીએ વિપક્ષના ઈન્ડિયા બ્લોક પર આકરા પ્રહારો કર્યા હતા, અને જણાવ્યું હતું કે, તેઓએ રવિવારે મુંબઈમાં રેલી યોજી હતી. આમાં તેમના નેતાઓએ જાહેરાત કરી હતી કે, તેમની લડાઈ શક્તિ સામે છે. મારા માટે દરેક દીકરી, માતા અને બહેન શક્તિની મૂર્તિ સ્વરૂપ છે. જે લોકો શક્તિ સામે અવાજ ઉઠાવી રહ્યા છે, તેમના પડકારને હું સ્વીકારું છું. હું 'શક્તિ' માટે મારું જીવન બલિદાન આપવા તૈયાર છું.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. વિશ્વની મહાન લોકશાહીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. તેલંગાણાના લોકો 13 મેના રોજ ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તમે વિકસિત ભારત અને વિકસિત તેલંગાણા માટે મત આપશો. તેલંગાણામાં ભાજપનું સમર્થન સતત વધી રહ્યું છે. લોકોની ભીડ તરફ ઈશારો કરતા તેમણે જણાવ્યું હતું કે, આ જીવંત ભીડ તેનો પુરાવો છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તેલંગાણા જોઈ રહ્યું છે કે, BRS અને કોંગ્રેસ ગુનામાં સાથે છે. કોંગ્રેસ બીઆરએસના કૌભાંડોની ટીકા કરતી નથી. તે કલેશ્વરમ પ્રોજેક્ટ અંગે BIS પર પ્રશ્નો ઉભા કરતું નથી. બીજી તરફ બીઆરએસ કોંગ્રેસને તે દાવાઓ વિશે પૂછતું નથી કે જેના આધારે પાર્ટી રાજ્યમાં સત્તામાં આવી. બીઆરએસ અને કોંગ્રેસ એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે બંને પક્ષોની તપાસ શરૂ થઈ તો તેઓએ મોદીને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું.
હું તેલંગાણાના લોકોને ખાતરી આપું છું કે, જેમણે તમને છેતર્યા છે, તેમને બક્ષવામાં આવશે નહીં. પરિવાર આધારિત પક્ષો માત્ર નફા માટે સરકાર બનાવવા માંગે છે, લોકોના ઉત્થાન માટે નહીં. 2જી કૌભાંડ હોય, નેશનલ હેરાલ્ડ કૌભાંડ હોય, બોફોર્સ કૌભાંડ હોય કે ઘાસચારા કૌભાંડ... દરેક મોટા કૌભાંડ પાછળ વંશવાદી પક્ષોનો હાથ રહ્યો છે.
તમારે 13મી મે યાદ રાખવી જોઈએ. તમે ભાજપને જેટલી વધુ બેઠકો આપશો, તેટલી વધુ તાકાત અમને તમારા માટે કામ કરવા મળશે. જો અમે તેલંગાણામાં સત્તા પર હોત તો અમે તેલંગાણાના વિકાસમાં મદદ કરી હોત, એમ વડા પ્રધાને જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી બીઆરએસ સામેના તમારા ગુસ્સાનો પુરાવો છે. તે ગુસ્સો જાળવી રાખો અને લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરો.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
