Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha Election 2024: PM મોદીએ કર્યા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર, કહ્યું - 4 જૂને...

Lok Sabha Election 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ તેલંગાણામાં જણાવ્યું હતું કે, મારા માટે દરેક માતા શક્તિનું સ્વરૂપ છે, દરેક પુત્રી શક્તિનું સ્વરૂપ છે. હું શક્તિના રૂપમાં તેમની પૂજા કરું છું અને શક્તિના મૂર્ત સ્વરૂપ એવા આ માતા-બહેનોની રક્ષા માટે હું મારો જીવ જોખમમાં મૂકીશ. મારા માટે સન્માનની વાત છે કે, નારી શક્તિ મને આશીર્વાદ આપવા અને સમર્થન આપવા અહીં આવી છે.

PM મોદીએ વિપક્ષના ઈન્ડિયા બ્લોક પર આકરા પ્રહારો કર્યા હતા, અને જણાવ્યું હતું કે, તેઓએ રવિવારે મુંબઈમાં રેલી યોજી હતી. આમાં તેમના નેતાઓએ જાહેરાત કરી હતી કે, તેમની લડાઈ શક્તિ સામે છે. મારા માટે દરેક દીકરી, માતા અને બહેન શક્તિની મૂર્તિ સ્વરૂપ છે. જે લોકો શક્તિ સામે અવાજ ઉઠાવી રહ્યા છે, તેમના પડકારને હું સ્વીકારું છું. હું 'શક્તિ' માટે મારું જીવન બલિદાન આપવા તૈયાર છું.

Lok Sabha Election 2024

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. વિશ્વની મહાન લોકશાહીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. તેલંગાણાના લોકો 13 મેના રોજ ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તમે વિકસિત ભારત અને વિકસિત તેલંગાણા માટે મત આપશો. તેલંગાણામાં ભાજપનું સમર્થન સતત વધી રહ્યું છે. લોકોની ભીડ તરફ ઈશારો કરતા તેમણે જણાવ્યું હતું કે, આ જીવંત ભીડ તેનો પુરાવો છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તેલંગાણા જોઈ રહ્યું છે કે, BRS અને કોંગ્રેસ ગુનામાં સાથે છે. કોંગ્રેસ બીઆરએસના કૌભાંડોની ટીકા કરતી નથી. તે કલેશ્વરમ પ્રોજેક્ટ અંગે BIS પર પ્રશ્નો ઉભા કરતું નથી. બીજી તરફ બીઆરએસ કોંગ્રેસને તે દાવાઓ વિશે પૂછતું નથી કે જેના આધારે પાર્ટી રાજ્યમાં સત્તામાં આવી. બીઆરએસ અને કોંગ્રેસ એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે બંને પક્ષોની તપાસ શરૂ થઈ તો તેઓએ મોદીને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું.

હું તેલંગાણાના લોકોને ખાતરી આપું છું કે, જેમણે તમને છેતર્યા છે, તેમને બક્ષવામાં આવશે નહીં. પરિવાર આધારિત પક્ષો માત્ર નફા માટે સરકાર બનાવવા માંગે છે, લોકોના ઉત્થાન માટે નહીં. 2જી કૌભાંડ હોય, નેશનલ હેરાલ્ડ કૌભાંડ હોય, બોફોર્સ કૌભાંડ હોય કે ઘાસચારા કૌભાંડ... દરેક મોટા કૌભાંડ પાછળ વંશવાદી પક્ષોનો હાથ રહ્યો છે.

તમારે 13મી મે યાદ રાખવી જોઈએ. તમે ભાજપને જેટલી વધુ બેઠકો આપશો, તેટલી વધુ તાકાત અમને તમારા માટે કામ કરવા મળશે. જો અમે તેલંગાણામાં સત્તા પર હોત તો અમે તેલંગાણાના વિકાસમાં મદદ કરી હોત, એમ વડા પ્રધાને જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી બીઆરએસ સામેના તમારા ગુસ્સાનો પુરાવો છે. તે ગુસ્સો જાળવી રાખો અને લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X