Lok Sabha Election : રાજ ઠાકરે બીજેપી સાથે ગઠબંધન કરવા જઈ રહ્યાં છે?
મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીને તોડ્યા બાદ પણ બીજેપી માટે કપરા ચઢાણ છે. હવે અહેવાલો આવી રહ્યા છે કે બીજેપી રાજ ઠાકરેની મનસે સાથે ગઠબંધન કરી શકે છે.
સૂત્રો અનુસાર, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપ-શિવસેના (એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથ) ગઠબંધનમાં જોડાય તેવી શક્યતા છે.

તેઓ દિલ્હી જઈ રહ્યા છે, જ્યાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે પણ હાજર છે. તે પોતાની પાર્ટી MNS માટે દક્ષિણ મુંબઈ અને શિરડી બે સીટોની માંગ કરી શકે છે.
રાજ ઠાકરે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ છે. રાજ ઠાકરે ઉદ્ધવના પિતા અને દિવંગત શિવસેના સ્થાપક બાળ ઠાકરેના ભત્રીજા છે. શિવસેનાના બીજા જૂથનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે.
જો કે, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે જાન્યુઆરીમાં ચુકાદો આપ્યો હતો કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળનો જૂથ વાસ્તવિક શિવસેના છે.
2022 માં એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવા પછી શિવસેના બે જૂથોમાં વિભાજિત થઈ, ત્યારબાદ તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા. હાલમાં મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ગઠબંધનમાં ભાજપ, એનસીપી અને શિંદેના નેતૃત્વવાળી શિવસેના છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
