રજનીકાંતે પીએમ મોદીને અભિનંદન આપ્યા અને કંઈક આવું કહ્યું
લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી ચૂક્યા છે. દેશે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત આપ્યો છે.
લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી ચૂક્યા છે. દેશે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત આપ્યો છે. એનડીએ ફરીથી એકવાર સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. આ બેમિસાલ જીતથી ભાજપમાં ખુશીનો માહોલ છે. અત્યાર સુધી આવેલા રૂઝાનમાં એનડીએ 350નો આંકડો પાર કરતી જોવા મળી રહી છે. વળી, ભાજપ પોતાના દમ પર બહુમતના આંકડાની નજીક છે. એવામાં ભાજપને મળેલી આ પ્રચંડ જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી પ્રતિક્રિયા આપી અને ટ્વીટ કરીને બધાનો આભાર માન્યો.
આ પણ વાંચો: 40 વર્ષમાં પહેલીવાર મોદીએ આ રેકોર્ડ તોડ્યો, પોતાના દમ પર બહુમત
|
રજનીકાંતે પીએમ મોદીને અભિનંદન આપ્યા
તમિલ ફિલ્મોના ભગવાન કહેવાતા રજનીકાંતે નરેન્દ્ર મોદીને રોચક અંદાઝમાં અભિનંદન આપ્યા છે. રજનીકાંતે પ્રધાનમંત્રી મોદીને ટવિટ કરતા કહ્યું કે, "hearty congratulations ... You made it"
|
ફરી ભારતની જીત થઇ
ભાજપની જોરદાર જીત પર પીએમ મોદીએ કહ્યું કે, ફરી ભારતની જીત થઇ છે. તેમને ટવિટ કર્યું કે, સબકા સાથ + સબકા વિકાસ + સબકા વિશ્વાસ = વિજયી ભારત
5.30 વાગ્યે પીએમ મોદી ભાજપા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે
આપને જણાવી દઈએ કે એનડીએ 340 સીટોનો આંકડો પાર કરી ચૂક્યું છે. જો વર્ષ 2014 વિશે વાત કરવામાં આવે તો ભાજપને એકલા હાથે 282 જેટલી સીટો મળી હતી. પરંતુ આ વખતે ભાજપા પોતાના દમ પર 290 કરતા પણ વધારે સીટો મેળવવા તરફ જઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે આજે સાંજે 5.30 વાગ્યે પ્રધાનમંત્રી મોદી પાર્ટી કાર્યાકાર્યમાં ભાજપા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.
અમિત શાહે કંઈક આવું કહ્યું
આ પહેલીવાર છે જયારે કોઈ ગેર-કોંગ્રેસી સરકાર પોતાના દમ પર બહુમત સાથે સરકાર બનાવી હોય. આ અંગે ભાજપા અધ્યક્ષ અમિત શાહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ પરિણામ વિપક્ષ ઘ્વારા કરવામાં આવેલા ખોટા પ્રચાર, ખોટા અને વ્યક્તિગત આરોપો અને આધારહીન રાજનીતિ સામે ભારતની જનતાનો જનાદેશ છે. આજનો જનાદેશ આ પણ બતાવે છે કે ભારતની જનતાએ દેશથી જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણને ઉખાડી ફેંકીને વિકાસવાદ અને રાષ્ટ્રવાદને પસંદ કર્યું છે.